રાજ્યસભામાં UAPA બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલે સરકાર પર જોરદાર હુમલો કર્યો. કપિલ સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહને કહ્યું કે કયા સ્ટેજ પર સરકાર નક્કી કરશે કે કોઇ આંતકી છે. જો હાફિસ સઇદ છે તો તે આતંકી છે. ગોડસે છે તો આંતકી છે, પરંતુ આપમાં કહેવાની હિમ્મત નથી. એમણે કહ્યું કે 1947થી આજ સુધી આપની હિમ્મત નથી થઇ કે તમે ગોડસેને આંતકી કહી દો.
કપિલ સિબ્બલે કહ્યું, 'ગૃહમંત્રીજી આપ ઉભા થઇને કહી દો.' કેમકે તમામ દ્રષ્ટિકોણની વાત છે. જે દ્રષ્ટીકોણથી જોઇએ છીએ એ આંતકી થઇ જાય છે. આજે આપે એવા લોકોને જેલમાં રાખ્યા છે કે જે શિક્ષાવિદ્ છે, સંયુક્ત રાષ્ટ્રથી ફન્ડિંગ લે છે. એમને આવતી કાલે નોટિફિકેશનથી આંતકી કહી દેશો. આ તમામ આપની મંશા પર નિર્ભર કરશે.
કપિલ સિબ્બલે કહ્યું કે જો ગૃહ મંત્રાલયે કોઇને આંતકી જાહેર કર્યો તો તેની પાસે રિવ્યૂ અને ટ્રિબ્યૂનલ પાસે જવાનો અધિકાર છે. પરંતુ બિલ એ નથી બતાવતું કે એ વ્યક્તિને કેમ અને ક્યારે આંતકી જાહેર કરાયો. કયા બેઝ પર આપ કોઇને આંતકી માની લેશો. FIRના સમયે, ચાર્જશીટ બાદ, ટ્રાયલ બાદ આ બિલમાં સ્પષ્ટતા નથી. આપણા કાનૂનમાં તો દોષી ઠેરાવા સુધી તમામ નિર્દોષ છે.
એવામાં તમે ટ્રાયલ દરમિયાન જ કોઇને આંતકી જાહેર કરી શકો છો. બિલમાં આ જોગવાઇ લાવવાનો કોઇ મતલબ નથી, કાલે તમે કોઇ અર્બન નક્સલને પણ આતંકી બતાવી શકો છો. એ બાદ તેની જિંદગી ખરાબ જ થઇ જશે.
રાજ્યસભામાં UAPA (Unlawful Activities Prevention Act) બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ કાનૂન હેઠળ નોંધવામાં આવેલ ફરિયાદમાં સજાની ટકાવારી ઘણી ઓછી છે. તથા ઘણા મામલાો લંબાયેલા છે. કપિલ સિબ્બલે કહ્યું કે કેટલાક મામલામાં ટ્રાયલ નથી થતી અને બેલ પણ નથી મળતી, નિર્દોષ લોકો ઘણા વર્ષો સુધી જેલમાં રહે છે.
કપિલ સિબ્બલે કહ્યું કે પોટામાં એક 12 વર્ષના બાળકને આરોપી બતાવાયો હતો. દરેક પ્રદેશમાં આ કાનૂનનો દૂરપયોગ થઇ રહ્યો છે. આંતકવાદ સામે લડાઇ આપણે સૌ ઇચ્છીએ છીએ. પરંતુ એ પણ જાણવું જોઇએ કે જમીન પર શું થઇ થાય છે.
એમણે કહ્યું કે, આવા બિલની વિવાદીત જોગવાઇને કમિટી પાસે મોકલવું જોઇએ, નહીંતર આ બિલોને કોર્ટમાં પડકાર મળતા રહેશે. આપણે આ પહેલા જ તેની ખામીઓ દૂર કરી લેવી જોઇએ. રાજ્યસભામાં UAPA બિલ પર આગળની ચર્ચા શુક્રવારે કરાશે. ગૃહમંત્રી અમિત શાહ બિલ પર પોતાનો પક્ષ રાખશે. હાલ ગુરુવારની કાર્યવાહી સ્થગિત કરી દેવાઇ છે.