કોરોના વાયરસના કારણે સ્પોર્ટ્સ જગતને જોરદાર ઝટકો લાગ્યો છે. .ભારતની સૌથી મોટી ટૂર્નામેન્ટને પણ વારંવાર મુલતવી કરવી પડી હતી પરંતુ હવે ટી20 વર્લ્ડ કપ પણ મોકૂફ થઇ જવાના કારણે આઇપીએલનો રસ્તો સાફ થઇ ગયો છે ત્યારે બ્રિજેશ પટેલે મોટી જાહેરાત કરી છે.
યુએઈમાં થશે IPLનું આયોજન
સરકાર તરફથી લીલી ઝંડીની રાહ
મંજૂરી મળતા જ શેડ્યુલની જાહેરાત થશે
આઈસીસી દ્વારા આખરે ટી20 વર્લ્ડ કપને મુલતવી કરી દેવાતા આઈપીએલ માટે રસ્તો સાફ થઇ ગયો છે. વર્લ્ડ કપ સ્થગિત થયાનાં બીજા જ દિવસે IPL સંચાલન પરિષદના અધ્યક્ષ બ્રિજેશ પટેલે કહ્યું છે કે આઈપીએલનું આયોજન હવે દુબઈમાં કરવામાં આવશે.
બ્રિજેશ પટેલે કહ્યું કે 'કોરોના વાયરસના કારણે મોકૂફ થયેલ IPLનું આયોજન હવે UAEના કરવામાં આવશે. અમે સરકારની મંજૂરી માટે અરજી કરી છે અને IPL General Councilમાં આગામી નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે'
સરકારની લીલી ઝંડી બાદ તરત આઈપીએલના શેડ્યુલની પણ જાહેરાત કરવામાં આવશે. પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ટૂર્નામેન્ટમાં 60 મેચ રમવાની છે અને કોઈ પણ શેડ્યુલ ઓછી કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં આઈપીએલ યોજવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સાત-આઠ દિવસમાં શેડ્યુલની જાણકારી આપવામાં આવશે એવામાં બધા ખેલાડીઓએ તુરત જ તૈયારીઓ શરુ કરી દેવી પડશે. આઈપીએલનું આયોજન થાય તો ચાહકોને ફરીવાર એમ એસ ધોની પણ મેદાન પર રમતા જોવા મળશે.