પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શનિવારે યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ઝાયદ'થી સન્માનિત કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ પુરસ્કારને લઈને હું સન્માન અનુભવું છું. આ ભારતની 1.3 અરબ જનતાનું સન્માન છે. તેઓએ કહ્યું કે આ બંને દેશોની વચ્ચેની સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિને માટે સંબંધોનો અભૂતપૂર્વ તાલમેળ દર્શાવે છે.
યૂએઈ કાશ્મીર મામલે ભારતનું સમર્થન કરી ચૂક્યું છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સતત મુસ્લિમ દેશોનું સમર્થન કરવાની અપીલ કરી રહ્યું છે. જો કે યૂએઈએ પાકિસ્તાનને ઝટકો આપતાં કહ્યું કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવો એ ભારતનો આંતરિક મામલો છે. પીએમ મોદીએ યૂએઈના સર્વોચ્ચ સન્માન મળ્યા બાદ તમામ પાકિસ્તાની ટ્વિટર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.
આયશા નામની યૂઝરે લખ્યું કે મોદીને યૂએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે કે શું? શું તેમને ખ્યાલ છે કે કાશ્મીરમાં તેઓ શું કરી રહ્યા છે? શું યૂએઈ મુસ્લિમ દેશ પણ છે?
કુમૈલ નામના યૂઝરે લખ્યું છે કે ઈતિહાસમાં નોંધાયું છે કે જ્યારે કાશ્મીર સંકટમાંથી પસાર થતું હતું ત્યારે મુસ્લિમ દેશ મોદીને એવોર્ડ આપવામાં વ્યસ્ત હતા.
અન્ય એક યૂઝરે લખ્યું છે કે યૂએઈ હંમેશાથી મુસ્લિમ દેશનું દુશ્મન રહ્યું છે. યમનમાં બોમ્બ પડવો, ફિલિસ્તાનમાં માસૂમોની હત્યાનું સમર્થન અને હવે મોદીને સન્માન.