યૂનાઇટેડ અરબ અમીરાતે ભારતીય ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખીને બુધવારે એક મહત્વનો નિર્ણય લીધો. આ નિર્ણય પ્રમાણે હવે તમને બે દિવસના ફ્રી ટ્રાન્ઝિટ વિઝા મળશે.
બે દિવસના ફ્રી ટ્રાન્ઝિટ વિઝા મળવાનો મતલબ છે કે દુબઇ અને અબુ ધાબી થઇને જો તમે દુનિયાના બીજા દેશમાં જઇ રહ્યા છો તો અહીંયા 48 કલાક રોકાવવા માટે એક પણ પૈસા ખર્ચ કરવા પડશે નહીં.
આટલું જ નહીં જો તમે બે દિવસના આ સમયને વધારે વધારવા ઇચ્છો છો તો તમે એવું પણ કરી શકો છો. તમે માત્ર 5 દિરહમ એટલે કે આશરે 1000 રૂપિયા આપીને આ સમય સીમા ચાર દિવસ અથવા 96 કલાક માટે વધારી શકો છો.
ભારતીય ટૂરિસ્ટોને આકર્ષવા માટે યૂએઇ કેબિનેટે આ નિર્ણય લીધો છે. જો કે નવા નિયમો કયારથી લાગૂ થશે એની કોઇ જાહેરાત થઇ નથી. તમે આ ટ્રાન્ઝિટ વિઝાને દરેક યૂએઇ એરપોર્ટ પર પાસપોર્ટ કંટ્રોલ હોલમાં એક્સપ્રેસ કાઉન્ટર્સથી મેળવી શકશો.
UAE પહેલાથી ભારતીયોની પસંદ બની ચુક્યું છે. 2017માં 3.60 લાખ ભારતીય પર્યટકોએ અબુ ધાબીની યાત્રા કરી હતી. આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં 11 ટકા વધારે છે.
યૂએઇ ઉપરાંત અન્ય ઘણા દેશ છે જે ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માટે વિઝા નિયમોને સરળ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ઇઝરાયલ જાપાન ઓમાન સહિત અન્ય દેશ સામેલ છે.