સાઉદી અરબ અને યૂએઇના વિદેશ મંત્રીઓએ બુધવારે જ્યારે પાકિસ્તાનની એકદિવસીય મુલાકાત લીધી તો ઇસ્લામાબાદે કાશ્મીરને લઇને આશા વ્યક્ત કરી પરંતુ તેની આશા ધરાશાયી થઇ ગઇ.
સાઉદીના ઉપ વિદેશ મંત્રી અદેલ બિન અહમદ અલ જુબેર અને યૂએઇના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બુધવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન પોતાની કૂટનીતિક જીત બતાવવામાં લાગ્યું હતું પરંતુ યૂએઇએ કાશ્મીર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
યૂએઇના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ બિન સુલ્તાન અલ નહયાને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. એમણે કહ્યું કે તેમા મુસ્લિમ દુનિયા અથવા મુસ્લિમોને વચ્ચે ન લાવવામાં આવે. યૂએઇના વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરનો વિવાદ ભારત અને પાકિસ્તાને વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ.
આ મુલાકાત દરમિયાન બંને દેશોની સામે કાશ્મીરે કથિત રીતે માનવાધિકાર ઉલ્લંઘનનો રાગ આલાપ્યો પરંતુ સાઉદી-યૂએઇ પર તેની કોઇ અસર થઇ નહીં. આ મુલાકાત બાદ પાકિસ્તાને હંમેશાની જેમ ખોટા દાવા કર્યા અને કહ્યું કે તેને કાશ્મીર પર ભારત વિરુદ્ધ સાઉદી અને યૂએઇ બંને દેશોનું સમર્થન મળ્યું છે.
યૂએઇએ હાલમાં જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી નવાજ્યા તો પાકિસ્તાનમાં તેની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. પાકિસ્તાનને કાશ્મીરને લઇને કૂટનીતિ રીતે ચારેય તરફથી અસફળતા મળી રહી છે. મુસ્લિમ દેશો સહિત કોઇપણ દેશ પાસેથી તેને સમર્થન નથી મલી રહ્યું.