સંયુક્ત આરબ અમીરાતના વિદેશી અને આંતરરાષ્ટ્રીય સહકાર બાબતોના પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાને અબુધાબીમાં હિન્દુ મંદિર નિર્માણ કરી રહેલા અને મંદિરની પ્રગતિના સંગઠનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું.
હિંદુ મંદિર નિર્માણ થશે UAEમાં
મંદિરના નિર્માણ માટે મંત્રી શેખ અબ્દુલ્લાએ આપી અમૂલ્ય ભેટ
BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અલ આઈનમાં તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન શેઠ અબ્દુલ્લાએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી સાથે વાતચીત કરી અને મંદિરના નિર્માણ વિશે પૂછપરછ કરી. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય રાજદૂત પવન કપૂર પણ હાજર હતા.
ભારત અને સંયુક્ત આરબ અમીરાતની મિત્રતા આશા અને નવા સંદેશાવ્યવહાર
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કોવિડ -19 રોગચાળાના આ પડકારજનક સમયમાં વૈશ્વિક સંવાદિતાના આવા પ્રોજેક્ટથી ભારત અને સંયુક્ત આરબ અમીરાતની અનોખી મિત્રતા ફરી જીવંત થશે અને પ્રગતિ અને શાંતિ પ્રત્યેના તેમને નવો સંચાર કરશે."
શેઠ અબ્દુલ્લાએ સોનાના સ્મૃતિચિત્રો રજૂ કર્યા
બ્રહ્મવિહારી સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી આખી ટીમ અને સમગ્ર હિન્દુ સમાજ યુએઈમાં લાંબા ગાળાના યોગદાન માટે સમર્પિત છે. શેઠ અબ્દુલ્લાને મંદિરમાં સુવર્ણ સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા.