કોરોના દર્દીના ઓક્સિજનની અછતના કારણે થયેલા મોત પર ભારે ઘમાસાણની વચ્ચે છત્તીસગઢ સરકારે યુ ટર્ન લીધો છે.
છત્તીસગઢ સરકાર ઓક્સિજનની અછતના કારણે થયેલા મોતનું ઓડિટ કરાવશે
કોંગ્રેસે પવાર પર મોત મુદ્દે સંસદને ભ્રમિત કરવાનો આરોપ મુક્યો
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા
છત્તીસગઢ સરકાર ઓક્સિજનની અછતના કારણે થયેલા મોતનું ઓડિટ કરાવશે
પહેલા કેન્દ્રના સુરમાં સુર મેળવનારા કોંગ્રેસ શાસિત છત્તીસગઢે કહ્યું કે સરકાર રાજ્યોમાં ઓક્સિજનની અછતના કારણે થયેલા મોતનું ઓડિટ કરાવશે. આ અંગેની જાણકારી સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે શુક્રવારે આપી છે. જો કે તેમણે એ વાર પર ભાર મૂક્યો છે કે કેન્દ્ર એ તેમની પાસે આવો કોઈ ડેટા માંગ્યો નથી.
કોંગ્રેસે પવાર પર મોત મુદ્દે સંસદને ભ્રમિત કરવાનો આરોપ મુક્યો
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ વિપક્ષી દળોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી પ્રવીણ પવાર પર એમ કહીને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો કે કોઈ પણ રાજ્યની ઓક્સિજનની અછતની યાદી નથી આપી. કોંગ્રેસે ગુરુવારે મોત પર સંસદને કથિત રુપથી ભ્રમિત કરવાને લઈને પવારની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ રજુ કર્યો.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા
દેવે કહ્યું કે જ્યારે કેન્દ્ર કહી રહ્યું હતુ કે ઓક્સિજનની અછતથી કોઈ પણ મોત નથી થયું તે કદાચ છત્તીસગઢની વાત કરી રહ્યા છે જે વધારે ઓક્સિજન વાળું રાજ્ય છે. તેમણે કહ્યું કે દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે અને આને ભૂલી ન શકાય. દેવે કહ્યું કે છત્તીસગઢમાં ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા 388.87 મેટ્રિક ટન અને 26 એપ્રિલે વધારે ખપત 180 મેટ્રિક ટન હતી.
અમે રાજ્યમાં પ્રત્યેક કોવિડ 19ની મોત પર ઓડિટ કરવા જઈ રહ્યા છીએ
દેવે કહ્યું કે તે જવાબદેહી માટે તૈયાર છે. એટલા માટે અમે રાજ્યમાં પ્રત્યેક કોવિડ 19ની મોત પર ઓડિટ કરવા જઈ રહ્યા છીએ. છત્તીસગઢ માટે અમે જવાબદાર છીએ અને એટલા માટે અમે સત્ય સામે લાવીશું. અમે નાગરિકોને ઈનપુટ આપવા માટે તૈયાર છીએ. તેણે કહ્યું કે હું કેન્દ્ર સરકારને આ પ્રકારની ઘટનાઓનો રેકોર્ડ મેળવવા માટે સમાન ઓડિટ કરવા અને ભવિષ્યમાં આવા કહેરથી બચવા મજબૂત યોજના વિકસાવવા માટે આગ્રહ કરુ છુ.