ઉત્તરાખંડનાં વિકાસ પુરૂષ નારાયણ દત્ત તિવારીએ આજે દિલ્હીનાં સાકેત સ્થિત મૈક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. એનડીનાં નિધનથી રાજનીતિ પાર્ટીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી રહી ચૂકેલ એનડી તિવારીને બ્રેન સ્ટ્રોક આવવાને કારણ 29 સપ્ટેમ્બર 2017થી દિલ્હીનાં સાકેત સ્થિત મૈક્સ હોસ્પિટલમાં ભરતી હતાં.
છેલ્લાં છ મહીનાથી તેઓની હાલત અત્યંત નાજુક હતી. આ દરમ્યાન અનેક વાર તેઓનાં નિધનનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. પરંતુ આજે પોતાનાં 92માં જન્મદિનનાં મોકા પર તેઓએ અંતિમ શ્વાસ લીધાં.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ટ્વિટ કરીને તેઓ પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી અને તેઓનાં નિધનને રાજનૈતિક જગતની મોટી ક્ષતિ ગણાવી. નારાયણ દત્ત તિવારી દેશનાં પ્રથમ એવા રાજનૈતિક હતાં કે જેઓને બે-બે રાજ્યનાં મુખ્યમંત્રી થવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
તેઓ નહેરુ-ગાંધી સમયનાં નેતાઓમાંનાં એક હતાં કે જેઓએ આઝાદીની લડાઇમાં સક્રિય યોગદાન કર્યું છે. કેન્દ્રમાં નાણાંકીય વિદેશ ઉદ્યોગ શ્રમ સરખા મહત્વનાં મંત્રાલયોની કમાન સંભાળી ચૂકેલ એનડી તિવારીને જ્યારે ઉત્તરાખંડ સરખા નાના રાજ્યની કમાન સોંપવામાં આવી તો ઉત્તરાખંડની આંદોલનકારી શક્તિઓ અસહજ અને સ્તબ્ધ હતી.