ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અર્ચના દેવી માતાએ કઠોર તપસ્યા કરી છે અને સમાજની ટીકાઓનો સામનો કર્યો છે.
અર્ચના દેવીને ક્રિકેટર બનાવવા માટે તેની માતાએ કઠોર તપસ્યા કરી
સાવિત્રીના પતિનું કેન્સરને કારણે અને પુત્ર સાપ કરડવાને કારણે નિધન થયું
લોકો અર્ચનાની મા સાવિત્રીને ડાયન કહેતા
ચૂપચાપ લોકોની વાતો સાંભળતી રહી અર્ચનાની માતા
ભારતીય મહિલા ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. સાઉથ આફ્રિકાના પોચેફસ્ટ્રોમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અર્ચના દેવી વિશે હવે વધુ પડતાં લોકો જાણવા માંગે છે. અર્ચનાએ ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં ગ્રેસ સ્ક્રિવન્સ અને નિયામ્હ હોવલેન્ડની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી અને શોર્ટ કવર પર મેકડોનાલ્ડ નો અદભૂત કેચ પણ પકડ્યો હતો.
જણાવી દઈએ કે અર્ચના દેવીને ક્રિકેટર બનાવવા માટે તેની માતાએ કઠોર તપસ્યા કરી છે અને એમને સમાજની ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે. મળતી જાણકારી અનુસાર સાવિત્રીના પતિનું કેન્સરને કારણે અવસાન થયું હતું અને પુત્રને સાપ કરડ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. એક સમયે આ કારણથી લોકો અર્ચનાની મા સાવિત્રીને ડાયન પણ કહેતા હતા. સાથે જ તેના સંબધીઓ એ સાવિત્રી પર આરોપ લગાવ્યો કે સાવિત્રીએ તેની પુત્રી અર્ચનાને ખોટા રસ્તે મોકલી દીધી છે.
ચૂપચાપ લોકોની વાતો સાંભળતી રહી અર્ચનાની માતા
જ્યારે સાવિત્રીએ તેની પુત્રીને કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરી ત્યારે પાડોશી એવી વાતો કરતાં કે સાવિત્રીએ તેની દીકરીને કોઈ દલાલને વહેંચી દીધી છે. આ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં તેના ગામ રતાઈ પૂર્વાથી લગભગ 15-20 કિમી દૂર ગંજ મુરાદાબાદમાં હતું. એક મીડિયા સાથે વાતચીતમાં સાવિત્રી એ જણાવ્યું હતું કે, ' લોકો કહેતા છોકરીને વહેંચી દીધી, છોકરીને ખોટા ધંધામાં મોકલી છે પણ જે દિવસે સાવિત્રીની પુત્રી અર્ચના મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી રહી હતી તે દિવસે તેના ઘરે મહેમાનોની ભીડ એકઠી થઈ ગઈ હતી, અત્યારે મારું ઘર મહેમાનોથી ભરેલું છે અને મારી પાસે તેમને આપવા માટે ધાબળા પણ નથી. જે પડોશીઓ મારા ઘરનું એક ગ્લાસ પાણી પણ ન પીતા એ અત્યારે મારી મદદ કરી રહ્યા છે.'
ગામલોકો આવતા જોઈ રસ્તો બદલી નાખતા
અર્ચનાના પિતા શિવરામનું 2008માં કેન્સરને કારણે અવસાન થયું હતું અને તેઓ સાવિત્રી પર ઘણું દેવું અને ત્રણ નાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી છોડી ગયા હતા. 2017 માં સાવિત્રીના નાના પુત્ર બુદ્ધિમાન સિંહનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું અને એ કારણે પાડોશીઓ અને સંબંધીઓએ સાવિત્રીને ઘણી ખરી-ખોટી સંભળાવી હતી.
આ વિશે વાત કરતાં અર્ચનાના મોટા ભાઈ રોહિત કુમારે કહ્યું, 'ગામના લોકો મારી માતાને ડાકણ કહેતા હતા. તેઓ કહેતા હતા કે એ પહેલા તેના પતિને ખાઈ ગઈ અને પછી તેના પુત્રને. તેને જોઈને ગામના લોકો તો તે પોતાનો રસ્તો બદલી નાખતા હતા અને અમારા ઘરને ડાકણનું ઘર કહેવાતું.' માર્ચ 2022 માં પહેલા લોકડાઉન દરમિયાન રોહિતે તેની નોકરી ગુમાવી દીધી હતી અને સાવિત્રીને બાળકોના ઉછેર માટે તેની માતાને કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.
માતાએ ક્યારેય હાર ન માની
રોહિતે આગળ કહ્યું હતું, 'દર વર્ષે અમે પૂરનો સામનો કર્યો છે અને ગંગા નદીના કારણે અમારા ખેતરોમાં અડધો સમય પાણી ભરાઈ જતું. અમે અમારી એક ગાય અને ભેંસના દૂધ પર નિર્ભર હતા. જો કે મા ની મહેનતને કારણે જ અમે આટલા વર્ષો જીવી શક્યા છીએ. એમને મને મારું ગ્રેજ્યુએશન પૂરું કરવાનો આગ્રહ કર્યો અને હવે હું સરકારી નોકરી માટે તૈયારી કરવા માંગે છે.'
રોહિતે કહ્યું, 'અર્ચના બુધી સાથે ક્રિકેટ રમતી હતી એન તેના કરતાં માત્ર એક વર્ષ મોટી હતી. અર્ચના શોટ ફટકારે છે અને બોલ બાંધકામના રૂમમાં જાય છે. અમારા પિતાના અવસાન પછી એ બાંધકામ અમે પૂરું કરી શક્યા નહીં દર વખતે તે બુદ્ધિ બેટથી બોલને બહાર કાઢતો પણ એ દિવસે તેને તેના હાથનો ઉપયોગ કર્યો અને કોબ્રાએ તેને ડંખ માર્યો. હોસ્પિટલ જતા રસ્તામાં જ તે નિધન પામ્યો હતો. એ સમયે તેના છેલ્લા શબ્દો હતા, 'અર્ચનાને ક્રિકેટ રમવા દેજો.' બુદ્ધિના મૃત્યુ પછી અર્ચનાએ ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું અને મારી માતાએ તેને ક્યારેય રોકી નહીં.'