શું તમને ખ્યાલ છે કે, ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેમ કયા કારણોસર રિજેક્ટ થઇ જાય છે. નહીં ને તો આજે અમે તમને તેના કેટલાંક કારણ જણાવીશું કે જેને જો તમે ધ્યાનમાં રાખશો તો તમારો ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય.
ક્લેમ કરતી વખતે પોલિસી ડોક્યુમેન્ટની સારી રીતે તપાસ કરવી જોઈએ
વીમા પોલિસી કઇ-કઇ બાબતોને આવરી લે છે તે પણ સમજવું જરૂરી
જાણો કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવા જેવી?
ટુ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ ખરીદ્યા બાદ મોટા ભાગના પોલિસીધારકો એવું વિચારતા હોય છે કે, તેમની તમામ સમસ્યાઓ હલ થઈ જશે. જો કે, વીમા ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, વીમા પૉલિસી ખરીદવી એ માત્ર અડધું કાર્ય છે અને પૉલિસીધારકે સમજવું જોઈએ કે બીજું કાર્ય વીમાના દાવાને યોગ્ય રીતે સેટલ કરવાનું છે. પ્રોબસ ઈન્સ્યોરન્સના ડાયરેક્ટર રાકેશ ગોયલના જણાવ્યાં અનુસાર, ટુ-વ્હીલર ક્લેમ કરતી વખતે પોલિસી ડોક્યુમેન્ટની સારી રીતે તપાસ કરવી જોઈએ. સાથે વીમા પોલિસી કઇ-કઇ બાબતોને આવરી લે છે તેના વિશે પણ સમજવું જરૂરી છે. ત્યારે અહીંયા જાણીશું ટુવ્હીલરના ઇન્શ્યોરન્સના ક્લેમ કેમ મોટી સંખ્યામાં રદ થઇ જાય છે?
નિયમ તોડવાના કારણે ક્લેમ રિજેક્ટ થવો
અનેક વખત એવું જોવા મળતુ હોય છે કે, લોકો વગર લાયસન્સે જ ડ્રાઇવ કરવાનું શરૂ કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં જો અકસ્માત થઇ જાય તો ઇન્શ્યોરન્સ કંપની ક્લેમને રિજેક્ટ કરી દે છે. આ સિવાય કેટલાંક લોકો ટ્રક ડ્રાઇવિંગ પણ કરતા હોય છે. જે કારણોસર ઇન્શ્યોરન્સ કંપની અકસ્માત થવા પર કરવામાં આવેલા ક્લેમને રિજેક્ટ કરી દે છે. એવામાં જ્યારે પણ તમે ટુ-વ્હીલર ડ્રાઇવ કરો તો માન્ય દસ્તાવેજો સાથે જ ડ્રાઇવિંગ કરો.
પોલિસીનું પ્રીમિયમ આપવામાં મોડું થવું
ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સના દાવાને નકારવા પાછળનું સૌથી મોટું કારણ પોલિસીનું પ્રીમિયમ સમયસર ન ભરવાનું પણ હોઇ શકે છે. કેટલીક વાર વાહન માલિકો તેમની ટુ-વ્હીલર વીમા પોલિસી સમયસર રિન્યુ નથી કરતા જેના કારણે વીમા કંપની દાવો નકારી કાઢે છે. એ સિવાય જો તમે ઈન્સ્યોરન્સ ક્લેમ કરતી વખતે સાચી માહિતી છુપાવો છો તો પણ તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.
ટુ-વીલરને મોડિફાઈ કરાવવું
યુવા સ્પોર્ટ્સ બાઇકને મોડિફાઇ કરાવે છે. જેની માટે RTO પાસે પરવાનગી લેવી જરૂરી હોય છે. પરંતુ ઘણા ક્લેમમાં એવું જોવામાં આવ્યું છે કે, બાઇક અથવા સ્કૂટર મોડિફાઇ તો થાય છે પરંતુ તેની માટે જરૂરી દસ્તાવેજોની કાર્યવાહી પૂર્ણ નથી કરાઇ હોતી. આ કારણોસર પણ ઇન્શ્યોરન્સ કંપની ક્લેમને રીઝેક્ટ કરી શકે છે.
ઓનરશિપ ટ્રાન્સફર ના કરવી
ટુ-વ્હીલરના માલિક ઘણી વાર પોતાના વાહનને વગર ઓનરશિપે ટ્રાન્સફર કરીને વેચી દેતા હોય છે. આવી સ્થિતિમાં જો કોઇ અકસ્માત અથવા તો ક્લેમ કરવામાં આવે છે તો ઇન્શ્યોરન્સ કંપની તેને રિજેક્ટ કરી દે છે. એટલાં માટે જ્યારે પણ તમારા જૂના વાહન વેચો અથવા તો ખરીદો તો તેની ઓનરશિપ જરૂરથી ટ્રાન્સફર કરાવી લો. કારણ કે, વાહનની ઓનરશિપ ટ્રાન્સફર થવાની સાથે ઇન્શ્યોરન્સ પણ નવા ઓનરના નામે ટ્રાન્સફર થઇ જાય છે.