વડોદરા રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના બે ડબ્બા ખડી પડવાની ઘટના બની છે. વડોદરાના યાર્ડમાં ટ્રેન લઈ જવાઈ રહી હતી. તે સમયે ટ્રેનના બે કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ DRM ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનના બન્ને કોચને પાટા પર લાવવા અને પાટાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દુર્ઘટના માનવસર્જીત છે કે ટેકનિકલ ખામીના કારણે તે મામલે DRMએ તપાસના આદેશ આપી દીધો છે. તો બીજી તરફ કોટા જતી આ ટ્રેનને હાલ રદ કરી દેવામાં આવી છે. જોકે ટ્રેનમાં કોઈ પેસેન્જર સવાર ન હતા. જેથી જાનહાનિ ટળી હતી.
બિહારની પૂર્વાંચલ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા ખડી પડવાની ઘટનાના સમાચારની શાહી હજી સુકાઇ નથી. ત્યાં આજરોજ ગુજરાતની સંસ્કારી નગરી ગણાતી વડોદરા ખાતે રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન જ્યારે યાર્ડમાં લઇ જવામાં આવી રહી હતી ત્યારે ટ્રેનના 2 કોચ ખડી પડતા ચકચાર મચી જવા પામી હતી.
જો કે આ મામલાની જાણ થતાં જ વડોદરા DRM ને જાણ થતાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રેનના બન્ને કોચને પાટા પર લાવવા માટે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ આ દુર્ઘટના માનવસર્જીત છે કે ટેકનિકલ ખામીના કારણે તે માટે તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.