મણિપુરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ચૂંટણી સભાને સંબોધન કરવા જવાના છે. આવતી 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મણિપુરમાં મતદાન થવાનું છે.
મણિપુરમાં આજે પીએમ મોદી સભાને કરશે સંબોધન
વીવીઆઈપી મૂવમેન્ટવાળા રસ્તા પર બ્લાસ્ટનો સામાન મળ્યો
બે આતંકીઓને દબોચી લીધા
મણિપુરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ચૂંટણી સભાને સંબોધન કરવા જવાના છે. આવતી 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મણિપુરમાં મતદાન થવાનું છે. જો કે, આ કાર્યક્રમની વચ્ચે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પહેલા મણિપુરમાં કાંગપોકપીની પાસેના એક વિસ્તારમાંથી IED સાથે બે આતંકીઓને પોલીસે દબોચી લીધા છે.
આતંકીઓએ બનાવ્યો ખતરનાક પ્લાન
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણીવાળા રાજ્યમાં વીવીઆઈપી મૂવમેંટના સમયે આતંકી હુમલાને અંજામ આપવા માટે પ્લાન બનાવામાં આવી રહ્યો હતો. ઈંફાલથી કાંગપોકપી જવાના રસ્તામાં કોઈ વીવીઆઈપી કોન્વોયમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું.
આતંકીઓ ક્યા લોકોને બનાવાના હતા નિશાન
આપને જણાવી દઈએ કે, પકડાયેલા બંને આતંકી નેશનલ સોશલિસ્ટ કાઉંસિલ ઓફ નાગાલેંડ નામના અલગાવવાદી સંગઠન સાથે જોડાયેલા છે. પોલીસ ટીમે બંને આતંકીઓ સાથે પુછપરછ કરીને જાણવાની કોશિશ કરી રહી છે કે, તે ક્યા લોકોને ટાર્ગેટ કરવા આવ્યા હતા.
આતંકીઓના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો
પોલીસે આ બંનેની ધરપકડ કર્યા બાદ સેકમાઈ સ્ટેશન પર લઈને આવ્યા જ્યાં તેમના સમર્થકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ફાયરીંગ પણ કરવું પડ્યું.