સોમાલિયામાં શનિવારનાં રોજ કરવામાં આવેલ બે આત્મઘાતી હુમલામાં 20 લોકોનાં મોત થઇ ગયાં છે. જ્યારે 40 લોકો ઘાયલ થયાં છે. આ હુમલામાં એક રેસ્ટોરન્ટ તથા કોફી શોપને નિશાન બનાવેલ છે.
પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાખોર દક્ષિણી પશ્ચિમી શહેર બૈડોઆમાં આ સ્થળો પર ઘૂસ્યાં અને થોડીક જ મિનીટોમાં ખુદને વિસ્ફોટ કરીને ઉડાડી દીધાં. આ બ્લાસ્ટ સોમાલિયામાં ટ્રક ધમાકાની પ્રથમ વર્ષગાંઠનાં એક દિવસ પહેલા થયાં છે.
ટ્રક વિસ્ફોટમાં 500થી અધિક લોકો માર્યા ગયા હતાં. આતંકી સમૂહ અલ-શબાબએ પોતાની મીડિયા ચેનલ એંડલસ રેડિયોનાં માધ્યમથી હુમલાની જવાબદારી લીઘી છે. આ આતંકી સમૂહ મોટે ભાગે સોમાલિયા અને પૂર્વી આફ્રીકાનાં કેટલાંક ભાગોમાં આત્મઘાતી હુમલો કરતા રહે છે. સોમાલિયા છેલ્લાં ત્રણ દશકાથી અસુરક્ષા હિંસા અને રાજનૈતિક અરાજકતાથી પીડિત છે.