ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. વિજ્ઞાન પ્રવાહના 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારે જાણો કેવી રીતે ભરી શકાશે ફોર્મ...
વિજ્ઞાન પ્રવાહના 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાશે પરીક્ષા
11 જૂનથી 20 જૂન દરમિયાન પુરક પરીક્ષાની અરજી કરવી પડશે
બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવું પડશે
આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ 71.34 ટકા રહ્યું છે. ત્યારે આ પરિણામ નીચું આવતા બોર્ડે જણાવ્યું હતું કે, માર્ચ-2020માં જે વિદ્યાર્થીઓ 1-2 વિષયમાં નાપાસ થયા હોય અથવા માર્કશીટમાં સુધારણાને અવકાશ લખેલું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscsiexamreg.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. 11 જૂનથી 20 જૂન દરમિયાન પુરક પરીક્ષાની અરજી કરવી પડશે. ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે. જેમાં વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારો પાસે ફી નહીં વસૂલાય.
ધો 9થી 12નું સ્ટડી મટિરિયલ તૈયાર કરવા સૂચના
ધો 9થી 12નું સ્ટડી મટિરિયલ તૈયાર સૂચના અપાઇ છે. હાલ જૂન મહિનાનો સિલેબસ તૈયાર બોર્ડે દ્વારા તમામ DEOને સૂચના આપી છે. કોરોનાના કારણે સ્કૂલો ચાલુ થવામાં સમય લાગી શકે છે. સમયને અનુરુપ વિદ્યાર્થીઓને ઘરે જ મટિરિયલ અપાશે. તમામ DEOને અલગ-અલગ સ્ટડી મટિરિયલ બનાવવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ-10નું પરિણામ થઈ શકે છે જાહેર
ધોરણ-10નું પરિણામ આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા છે. ધોરણ-10ના રેગ્યુલર 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 2.25 લાખ રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આ વર્ષે 125 કેદીઓએ પણ ધોરણ-10ની પરીક્ષા આપી છે.
OBC સમાજ માટે રાજ્ય સરકારનો નિર્ણય
OBC સમાજ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાતિના પ્રમાણપત્ર અને આવકના દાખલાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. માર્ચ 2020માં પુરી થતી મુદ્દતમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દત વધારા માટે કોઇપણ પ્રકારની અરજી કરવાની રહેશે નહીં. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીમાં આવકો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા વિદ્યાર્થીઓની ભીડ એકઠી ન થાય તે માટે નિર્ણય લેવાયો છે.