એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવાનું એલાન કરી રહી હતી ત્યારે બીજી તરફ 2 સાંસદ વિપક્ષને ઝટકો આપવાની તૈયારીમાં હતા. રાજ્યસભામાં સોમવારે સમાજવાદી પાર્ટીના સુરેન્દ્ર સિંહ નાગર, સંજય સેઠ અને કોંગ્રેસના ભૂવનેશ્વર કાલિતાએ રાજીનામાની જાહેરાત કરી.
રાજ્યસભાની બેઠક શરૂ થવા પર સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ નાગર, સેઠ અને કાલિતાના રાજીનામા વિશે ગૃહને જાણકારી આપી. એમણે બતાવ્યું કે આ સભ્યોએ 2 ઓગસ્ટથી પોત-પોતાના રાજીનામા આપ્યા જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરેન્દ્રસિંહ નાગરનો કાર્યકાળ 4 જુલાઇ 2022 સુધી હતો. સંજય સેઠ સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નજીકના માનવામાં આવે છે. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પણ 2022 સુધી હતો.
આ પહેલા 16 જુલાઇએ સપાના રાજ્યસભા સભ્ય નીરજ શેખરે પણ પાર્ટી અને ઉચ્ચ ગૃહની સદસ્યતાથી રાજીનામુ આપી દીધું હતું. નીરજ ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. કાલિતા રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી આસામનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ તેમના રાજીનામાની સૂચના આપી. કાલિતાનો કાર્યકાળ ઉપલા ગૃહમાં 2020 સુધી હતો.
ત્યારબાદ એમણે બતાવ્યું કે જમ્મૂ કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ નેતા ગુલામ નબી આઝાદ, સપાના રામગોપાલ યાદવ, ભાકપાના બિનોય બિસ્વમ, માકપા ઇલામારમ કરીમ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ તથા કોંગ્રેસના ભૂવનેશ્વર કાલિતાએ નોટિસ આપી છે. નાયડૂએ કહ્યું કે, 'કાલિતાએ ઉપલા ગૃહમાંથી સદસ્યતાનું રાજીનામુ આપી દીધુ છે તેથી તેમની નોટિસનું કોઇ મહત્વ નથી.'
હવે વાત કરીએ સમાજવાદી પાર્ટીની તો, સાંસદ સંજય સેઠનું રાજીનામુ સપા પાર્ટી માટે મોટો ઝટકો છે. તેમના ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાની સંભાવના છે. ગત એક મહીનામાં પાર્ટી અને રાજ્યસભાથી રાજીનામુ આપનાર સેઠ ત્રીજા સાંસદ છે.
સેઠનું રાજીનામુ પાર્ટી માટે એક મોટો ઝટકો છે. એમણે યાદવ પરિવારના નજીકના મનાતા હતા. સેઠ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા બિલ્ડરોમાંથી એક છે અને મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવના નાના પુત્ર પ્રતીક યાદવના એક વ્યાપારીક ભાગીદાર છે. સેઠના રાજીનામા આપ્યા બાદ રાજ્યસભામાં સપાએ માત્ર 10 સાંસદ રહી ગયા છે.