12 ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના દ્વારા કડક કાર્યવાહી કરી 300 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ ભરી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે વધુ દેશના બે મોટા રેલ્વે સ્ટેશનને આતંકવાદી સંગઠનના નામથી ધમકી ભરી ચિઠ્ઠી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. જોઇએ અહેવાલ.
યૂપી અને ઉત્તરાખંડમાં બે રેલવે સ્ટેશન માસ્ટરને આતંકવાદી સંગઠનના નામથી એક ચિઠ્ઠી પહોંચી છે. આ ચિઠ્ઠીએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી નાખી છે. આ ચિઠ્ઠીમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય સ્વયં સેવકના પ્રમુખ મોહન ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
તો આ ચિઠ્ઠીમાં 13મે ના રોજ શામલી, બાગપત, મેરઠ, હાપુડ, ગજરૌલા, ગાજિયાબાદ, મુઝફ્ફરનગર, બરેલી, દિલ્લી, પાણીપત અને રોહતક રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની પણ ધમકી આપવામાં આવી છે. તો 16 મેના રોજ અલાહાબાદ, અયોધ્યા, ગાજિયાબાદ અને દિલ્લીના મુખ્ય ધાર્મિક સ્થળો અને બસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ સામેલ છે.
તો ધમકીભર્યા પત્ર બાદ સુરક્ષા એજન્સીઓએ યૂપી, દિલ્લી, હરિયાણા અને ઉત્તરાખંડ રાજ્યમાં અલર્ટ મોકલી આપ્યું છે. તો આ ચિઠ્ઠી લખનારે પોતાને જૈશ એ મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો અને લખ્યું છે કે, હે મારા મૌલાના મને માફ કરજે. મારા જેહાદીની મોતનો બદલો જરૂર લઈશ. જે બાદ રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળ અને નેતાઓને ધમકીનો ઉલ્લેખ છે. તો ચિઠ્ઠીમાં છેલ્લે લખ્યું છે કે, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ, એરિયા કમાન્ડર મૈસુર અહમદ, જમ્મૂ-કશ્મીર, સિંધ પાકિસ્તાન.