જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આજે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમા સેનના બે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે તેમનું કરૂણ મોત થયું છે. પોલીસના કહેવા પ્રમાણે તેમને સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેથી પોલીસ તુરંત સ્થળ પર પહોચી હતી સાથેજ તેમણે સેનાને પણ આ અંગે માહિતી આપી હતી
GOC-in-C, Northern Command, Lt Gen YK Joshi and all ranks salute the bravehearts Major Rohit Kumar & Major Anuj Rajput who made the supreme sacrifice in the line of duty on Sept 21 at Patnitop & offer deepest condolences to their families: Northern Command, Indian Army pic.twitter.com/LPsrJEFQqc
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સવારે 10:30 વાગ્યાથી 10:45 વાગ્યાની વચ્ચે ઉધમપુરાના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા સ્થાનિક લોકો દ્વારા પાયલટને બહાર કાઢવામાં આવ્યો હતો.
અગાઉ 3 ઓગસ્ટે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
ઉલ્લેખનીય છે કે ગત 3 ઓગ્સટના રોજ પણ આર્મીનું હેલિકોપ્ટર રંજીત સાગર ડેમ લેકમાં ક્રેશ થયું હતું. તે ઘટના જમ્મુ કાશ્મીરના કઠુંઆમાં બની હતી. જેને લઈને સેના દ્વારા લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.