સુરતઃ કીમ ચાર રસ્તા પાસે સીયાલાજ પાટિયા નજીક વહેલી સવારે ચાર વાગે કન્ટેનર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત અને 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મધુર ટ્રાવેલ્સની લક્ઝરી બસ મુંબીથી સાંચોર જઈ રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી. અકસ્માતને પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી.
ઘટનાની જાણ IRBને તેમજ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો સાત જેટલી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વનું છે કે વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ સુરતના કીમ ચારરસ્તા નજીક આવેલા સીયાલાજ પાટિયા પાસે અકસ્માતની દુર્ઘટના બની હતી. મરુધર ટ્રાવેલ્સની લક્ઝરી બસ મુંબઈથી સંચોર જઈ રહી હતી. આ દરમિયાન સીયાલાજ પાટિયા પાસે પહેલા કન્ટેનર કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાયું હતું. કન્ટેનર પાછળ ધડાકાભેર લક્ઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરો પૈકી ૨ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે ૨૦થી વધુ મુસાફરો ઈજગ્ર્સ્ત થયા હતા. અકસ્માતને લઇ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ IRB અને પોલીસને કરવામાં આવતા પેટ્રોલિંગ તેમજ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી.
જ્યારે 5 જેટલી ઇમરજન્સી ૧૦૮ તેમજ અન્ય ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને લઇને હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.