સુરેન્દ્રનગરના કડુ ગામના પાટિયા પાસે એક ડમ્પરની અડફેટે બે પદયાત્રીઓ આવતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યાં છે.
ડમ્પર ચાલકે બે વ્યકિતને અડફેટે લીધા
લખતરના કડુ ગામના પાટીયા પાસેનો બનાવ
બંને વ્યકિતના ઘટનાસ્થળે મૃત્યુ
લખતરના કડુ ગામના પાટીયા પાસેનો બનાવ
સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામે ચોટીલા જતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લખતરના કડુ ગામના પાટિયા પાસે એક ડમ્પર ચાલકે બે લોકોને અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, ઘટનામાં માર્યા ગયેલા મૃતકો ચેત્રી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને ચોટીલા જતાં હતાં.
અન્ય ઘાયલ પદયાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મહત્વનું છે કે, પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.અને ચોટીલા દર્શનાર્થે જઈ રહેલા એક પદયાત્રી તેમજ પદયાત્રી સેવા કેમ્પમાં સેવા આપવા જતા યુવકના મોત થયા છે.જ્યારે આ ઘટનામાં ચારથી પાંચ પદયાત્રીઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ થી પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી
આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ સાથે ડમ્પર ચાલક સામે ફીટકારની લાગણી વરસાવી હતી.