ભારતમાં કોરોનાના બે નવા સ્વરુપે દેખા દીધી છે. કેન્દ્ર સરકારે Indian Sars-Cov-2 Genomics Consortium નામની એક કમિટી બનાવી હતી.
કોરોનાના નવા સ્વરુપને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.
ભારતમાં કોરોનાના બે નવા સ્વરુપે દેખા દીધી છે
કમિટીએ ભારતમાં 3500 સેમ્પલની ચકાસણી કરી
આ કમિટીએ ભારતમાં 3500 સેમ્પલની ચકાસણી કરી હતી જેમાંથી પહેલા યુકે સ્વરુપના કોરોનાના 187 કેસ નોંધાયા, સાઉથ આફ્રિકાના કોરોનાના સ્વરુપમાં 6 કેસ તો બ્રાઝીલના કોરોનાના નવા સ્વરુપનો 1 કેસ નોંધાયો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોનાના ચોથા અને પાંચમા સ્વરુપની પણ પુષ્ટિ થઈ છે.
નવા વેરિએન્ટને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના કેસ વધવાના મામલે કેરળ પહેલા નંબરે તો મહારાષ્ટ્ર બીજા નંબરે છે.
આઈસીએમઆરે એવું જણાવ્યું કે કેસ વધવા પાછળનું કારણ કોરોનાના નવા સ્વરુપ નથી. પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર પાછળ શું કારણ છે તે અંગે સચોટ કંઈ જણાવાયું નથી.
મહારાષ્ટ્રમાં એક વાર અત્યંત ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. મુખ્યપ્રધાન લોકડાઉન લાદવાની પણ ચેતવણી આપી છે. પરંતુ કેટલીક વીઆઈપી પાર્ટીઓને મળી રહેલી છૂટછાટને કારણે સવાલ ખડા થયા છે.
રવિવારે નાસિકમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકના પુત્રના લગ્નની જોરદાર ઉજવણી કરાઈ હતી. લગ્નની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાયું નહોતું. લગ્નની પાર્ટીમા શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ, સંજય રાઉત, અરવિંદ સાવંત જેવા મોટા ગજાના નેતાઓ પણ સામેલ થયા હતા.
દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી
આંકડામાં જણાવ્યાનુંસાર દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી છે. વર્તમાનમાં ભારતમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1, 50, 055 છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ કેસ 1, 06, 99, 410 છે. ભારતમાં કાલ સુધીમાં 21, 15, 51, 746 સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 6, 20, 216 ટેસ્ટ રવિવારે કરવામાં આવ્યા.
7 દિવસોમાં 1, 00,990 નવા કેસ દાખલ
ભારતમાં ગત અઠવાડીયામાં (15થી 21 ફેબ્રુઆરી)માં કોરોનાના 1, 00,990 તાજા મામલા દાખલ થયા છે. ગત અઠવાડિયામાં કોરોનાના 77, 284 નવા મામલા સામે આવ્યા છે. તેવામાં ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે 31 ટકા કેસ વધ્યા છે. રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ આવ્યા છે. જ્યાં ગત અઠવાડિયે 81 ટકા વધારો થયો છે. ભારતમાં ગત અઠવાડિયે કોરોનાની સંખ્યા 11430 હતી. આ અઠવાડિયે 12,770 થઈ ગઈ છે. આ અઠવાડિયે મરનારની સંખ્યા 660 રહી જે ગત અઠવાડીયાની સરખામણીએ 10 ટકા વધારે છે.