વલસાડઃ કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓ પર થતાં અત્યાચાર રોકવા માટે નવો કાયદો લાવ્યા હતા. પરંતુ આ કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પણ મુસ્લીમ બહેનો પર અત્યાચારની ઘટના રોકાઈ રહી નથી. દરેક સમાજની મહિલાઓને પોતાનો હક અને પોતાનું જીવન જીવવાનો અધિકારી છે. વલસાડના સંજાણ ગામમાં બે મુસ્લીમ પરિવારોમાં તલાકની ઘટના બની છે. આ ઘટના બનતા આસપાસના મુસ્લીમો અને કાયદાની વાતો કરતા સમાજ પર અનેક સવાલ ઉભા થયા છે.
મુસ્લીમ મહિલાની આપવીતી...
વલસાડના સંજાણમાં 2 તલાકની ઘટના પ્રકાશમાં આવી છે. સંજાણમાં એક મુસ્લિમ પરિણીતાને લગ્ન જીવનના દસ જ મહિનામાં તેના પતિએ તરછોડી છે. એ પણ ત્યારે કે જ્યારે મહિલાને પોતાના પતિની સૌથી વધારે જરૂર હોય મહિલાને સાત મહિનાનો ગર્ભ હોવા છતાં આ યુવકે તેની પત્નીને તલાક આપી દીધા હતા. એક નહીં પણ બે જીંદગીના ભવિષ્ય સાથે રમત કરી છે. જો સુપ્રીમ કોર્ટનો કાયદને આવા લોકો ન માને તો તેમને સમાજે શું સજા આપવી તે પણ એક સવાલ છે. સંજાણ જેવા નાનાટાઉનમાં એક દિવસે બે મુસ્લિમ યુવતીઓને તેના પતિએ તરછોડી છે. બંને પરણિતા અને તેના પરિવાર મુસ્લિમ સરિયત કાયદા મુજબ આપવામાં આવેલા તલાકથી ભારે દુઃખી છે.
એક દિવસમાં બે અલગ ઘટના
દેશની સરકારે ત્રિપલ તલાકના કાયદાનું તાત્કાલિક અમલીકરણ થાય તેવી માંગ કરી હતી. મોટા ભાગના લોકો આ કાયદાનું પાલન કરી પણ રહ્યા છે. પરંતુ અમૂક આવા ગામોમાં આ પ્રકારના બનાવ બને છે. જે ખરેખર દુઃખદ છે. એક દિવસમાં બે અલગ ઘટનામાં ત્રણ વાર તલાક લખીને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. સંજાણમાં રહેતા અઝરૂદ્દીન પટેલે તેની પત્નીને માત્ર 10 મહિનાના લગ્ન જીવન બાદ તલાક આપી દેતા મહિલાની હાલત અત્યંત દયનીય બની છે.
મહિલાને 7 મહિનાનો ગર્ભ
અઝરુદીને લગ્નજીવનના માત્ર દસ મહિનામાં પોતાની પત્નીને ત્રણ વાર તલાક બોલી તરછોડી દીધી છે. અત્યારે મહિલાને 7 મહિનાનો ગર્ભ છે. આ સમયે તેને પતિ અને તેના પરિવારજનોની હુંફની જરૂર હોય છે. પરંતુ અહિંયા મહિલા પર ત્રણ શબ્દો બોલીને અત્યાચાર કરાયો અને મહિલા અને તેના બાળકને આ સહન કરવાનો વારો આવ્યો છે. તેમ છતા ચુસ્ત નિયમોની વાતો કરનારા સુફી સંતો કેમ આ મામલે કોઈને કંઈ સમજાવીને સમાજમાં જાગૃતિ લાવાવનો પ્રયાસ કરતા નથી.
કોઈ યુવતી સાથે આડાસંબંધઃ યુવતી
શું મહિલાઓ માત્ર બાળક પેદા કરવાનું અને ઘરકામ કરવાનું સાધન છે. તેને ગમે ત્યારે ત્રણ શબ્દો બોલીને આમ રઝળતી કરશો. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિને કોઈ યુવતી સાથે આડાસંબંધ હોવાના કારણે અવાર નવાર માનસિક અને શારિરીક ત્રાસ આપતો હોવાના આરોપ લગાવ્યા છે. હવે તે સરકાર પાસે ન્યાયની માગ કરી રહી છે.
બીજો કિસ્સોઃ પતિએ ત્રણ વાર તલાક તલાક તલાક લખીને પત્ની સાથે સંબંધ તોડી નાંખ્યો
તલાકના અન્ય એક કિસ્સામાં અરબાઝ કોન્ટ્રાક્ટરે તેની પત્નીને ત્રણ વાર તલાક લખીને પત્ની સાથે સંબંધ તોડી નાંખ્યો છે. આ પરિવાર સમાજની ડરે મીડિયા સામે કશું બોલવા તૈયાર નથી. સરકારે ત્રિપલ તલાકનો કાયદો બનાવ્યો પણ અમલ કેમ થતો નથી. એક તરફ સરકાર મહિલાઓને ન્યાય અપાવાની વાત કરે છે. પણ અમલીકરણના અભાવના કારણે આ પ્રકારના બનાવ બને છે. જો કે ખુદ મુસ્લીમ અગ્રણીઓ પણ ત્રિપલ તલાકના કાયદાનું સ્વાગત કરે છે. તે આ કાયદો તોડનાર સામે સરકારને અપીલ કરી રહ્યા છે કે કાયદો તોડનાર સામે કડક કાર્યાવાહી કરાય જેથી આ પ્રકાના બનાવ બનવાનું બંધ થાય અને સમાજમા એક નવી પહેલ થાય.
પોલીસ પણ સાંભળવા તૈયાર નથી
હાલ તો આ પીડિત પરિવારે આમામલે ઉમરગામ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પરંતુ પોલીસ પણ તેમની સરખી વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આ પરિવાર સરકાર પાસે મદદની અપીલ કરીને ન્યાયની માગ કરી રહ્યો છે.