ગત વર્ષે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલા (Pulwama Attack)મા સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
પુલવામા આતંકી હુમલા મામલામાં NIAએ વધુ બે લોકોની ધરપકડ કરી
28 ફેબ્રુઆરીએ જૈશના વર્કર શાકિર બશીરની ધરપકડ કરાઇ હતી
28 ફેબ્રુઆરીએ પુલવામા મામલામાં પહેલી ધરપકડ
આ પહેલા તપાસ એજન્સીએ 28 ફેબ્રુઆરીએ આ મામલે પહેલી ધરપકડ કરી હતી. NIAએ આતંકી અને જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉન્ડ વર્કર શાકિર બશીર માગરેની કાશ્મીરથી ધરપકડ કરી હતી. શાકિરે આત્મઘાતી હુમલાવર આદિલ અહમદ ડારને શરણ અને મદદ કરી હતી. શાકિર પુલવામાનો જ રહેવાસી છે અને તેની ફર્નીચરની દુકાન છે. પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
આદિલ અહમદ ડાર એ આતંકી હતો જે કારમાં સવાર થઇને સુરક્ષા દળના કાફલામાં જઇને ઘુસી ગયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. શાકિરે ખુલાસો કર્યો કે તેણે આદિલ અહમદ ડાર અને વધુ એક અન્ય સહયોગી મોહમ્મદ ઉમર ફારુકને વર્ષ 2018ના અંતથી લઇને ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા હુમલા સુધી પોતાના ઘરમાં શરણ આપી હતી.
શાકિર બશીરે IED બનાવવામાં પણ મદદ કરી હતી. ધરપકડ બાદ શાકિરને 15 દિવસ માટે NIAએ પોતાની કસ્ટડીમાં લીધો હતો. આ દરમિયાન NIA તેની પાસે હુમલા સાથે જોડાયેલી અન્ય કેટલીક જાણકારીઓ માટે પૂછપરછ કરવાની હતી.
આમ કરાયો હતો હુમલો
14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામામાં શ્રી નગર જમ્મૂ હાઇવે પર CRPFની બસ પર હુમલો થયો હતો. બપોરે લગભગ 3.30 વાગ્યે આદિલ અહમદ ડાર એક કારમાં આવ્યો અને તેણે CRPFના કાફલામાં આ કાર ઘુસાડી દીધી. જે બાદ બસ સાથે ટકરાવાથી વિસ્ફોટ થયો અને CRPFના જવાનોથી ભરેલી બસ ખાક થઇ ગઇ. બસની પાસે જે અન્ય વાહન હતા તેમને પણ નુકશાન પહોંચ્યું. આ હુમલામાં 40 જવાન શહીદ થયા.