સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરોના મોત થયા છે. નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજુરોના મોત થયા છે. જેમાં બે મજુરના ગેસ ગૂંગળામણથી મોત થયા છે. બંને ફાયર વિભાગ દ્ધારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો કે વ્યવસ્થા વગર ઉતરેલા યુવકના મોત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે.
નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજુરોના મોત
બે મજુરના ગેસ ગૂંગળામણથી મોત
બંને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયા
ગટરમાં સફાઇ કરવા ઉતરેલા બે યુવકના મોત થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ માણસો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ન હતા. આ બન્ને યુવકો ખાનગી લોકો દ્વારા ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ બન્નેને ગટરમાં કોણે ઉતાર્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.