બોટાદમાં બે યુવતની સંદિગ્ધ અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવાનોની હત્યા કરાઈ છે કે આક્સમીક મોત થયા છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. પણ એ પહેલા કોઈ કુંટુબંના કુળદીપક અકાળે આથમી જતા ગામ હિબકે ચઢ્યું હતુ.
બોટાદના ગઢડા ગામેથી બે યુવકોના મૃતદેહ મળ્યા
નિલકંઠ મહાદેવ મંદિર સામે બે યુવકોના મૃતદેહ મળ્યા
ઇંટોના સળગતા ભઠ્ઠા પરથી મૃતદેહ મળી આવતા ચકચાર
બોટાદના ગઢડા ગામેથી બે યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નિલકંઠ મહાદેવ મંદિર સામે બે યુવકોના મૃતદેહ મળ્યા છે. બંને યુવતોની લાશ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાઅનુસાર બોટાદાના ઘટડા ગામે ઈંટોના ભઠ્ઠા પાસેથી બે યુવતની લાશ મળી આવી છે. ઈંટોના ભઠ્ઠા પાસેથી દેશી દારૂની ખાલી કોથળીઓ પણ મળી આવી છે. જેને પગલે આ યુવકો નશો કરીને ઈંટોના ભઠ્ઠા પર જ સુઈ ગયા હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. પોલીસે આ મામલે ઘટનાની જાણ થતાં તુરંત જ ત્યાં પહોંચીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ યુવકોના મોત થયા તેમાં આક્મિક મોત છે કે હત્યાનું કાવતરું? અથવાતો દારૂ પીને ઢીંગલી થઈ જઈ અકસ્માતનો ભોગ બન્યા છે તે અંગે અવનવી અટકળો લગાવાઈ રહી છે પણ હજુ સુધી યુવકોના મોતનું કારણ નથી મળ્યું.