અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીના હેતુ સાથે મોકલવામાં આવેલા બે લશ્કર આતંકી શ્રીનગર પોલીસે એન્કાઉંટરમાં પતાવી દીધા છે.
શ્રીનગર પોલીસને મળી મોટી સફળતા
જમ્મુ કાશ્મીરમાં બે આતંકીઓને ઠાર કર્યા
અમરનાથ યાત્રીઓને બનાવાના હતા ટાર્ગેટ
એન્કાઉંટરમાં માર્યા ગયેલા બે આતંકી, પાકિસ્તાનથી આવ્યા હતા. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીના હેતુ સાથે મોકલવામાં આવેલા બે લશ્કર આતંકી શ્રીનગર પોલીસે એન્કાઉંટરમાં પતાવી દીધા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાનનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ અથડામણમાં સોમવારે લગભગ અડધી રાતે થઈ હતી. આઈજીપી વિજય કુમારે મંગળવારે આ જાણકારી આપી હતી. અથડામણ દરમિયાન એક પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા.
એક પોલીસ જવાન ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર, એક પાકિસ્તાની અને એક સ્થાનિક આતંકવાદી શ્રીનગરના બેમિનામાં પોલીસ એન્કાઉંટરમાં માર્યા ગયા હતા. શ્રીનગર પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આ એ જ ગ્રુપ છે, જે છ જૂનના રોજ સોપોરમાં થયેલી અથડામણ દરમિયાન ભાગી નિકળ્યા હતા. પોલીસકર્મીને આ દરમિયાન સામાન્ય ઈજા થઈ હતી અને તે ખતરામાંથી હાલ સુરક્ષિત છે. કશ્મીરના આઈજીપી વિજય કુમારે ઉપરાઉપરી ટ્વિટ કરીને કશ્મીર પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા ગણાવી હતી.
સંદીગ્ધ દસ્તાવેજો જપ્ત
આઈજીપીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓની પાસેથી અમુક સંદીગ્ધ દસ્તાવેજો પણ જપ્ત થયા છે. તેમના જણાવ્યા અનુસાર એક પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી હતો અને તેનું નામ અબ્દુલ્લા ગૌજરી હતું. જ્યારે બીજો આતંકી આદિલ હુસૈન મીર તરીકે ઓળખાણ થઈ છે. જે દક્ષિણી કશ્મીરના અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ રેકોર્ડ્સ અનુસાર, મીરે 2018માં વિજિટ વિઝાના આધારે વાધા બોર્ડર ક્રોસ કરી હતી.