બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two killed in an accident in Surendranagar
Last Updated: 04:25 PM, 2 February 2023
ADVERTISEMENT
રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં છે. વણકીના પાટિયા પાસેથી પસાર થતી કાર પર ટ્રેલર પડ્યું હતું.
ADVERTISEMENT
કારમાં સવાર યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે મોત
લગ્ન પ્રસંગમાં જતા પરિવાર માટે આજનો દિવસ કાળ સમાન સાબિત થયો છે, કાર પર ટ્રેલર પડતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે તો એક મહિલા અને બાળકને કારમાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં છે. જામનગરથી નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો છે.
ઘટનાસ્થળે પોલીસ કાફલો
ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચીને ઈજાગ્રસ્તોને ક્રેન અને જેસીબી વડે કચ્ચરઘાંણ વળી ગયેલી કારમાંથી બહાર કાઢ્યાં હતાં તેમજ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. કમકમાટી ભર્યા અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અરરાટી મચી જવા પામી હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.