અરવલ્લીના શામળાજીમાં હાઈવ પરથી પસાર થતી ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ ટ્રક દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેને લઇને દુકાનમાં બેઠેલા બાળક સહિત 2 લોકોના મોત થયા છે.
દુકાનમાં બેઠેલા બાળક સહીત 2 લોકોના મોત
આઠ જેટલી કાચી દુકાનો તોડી ટ્રક પલટ્યો
ટાયર ફાટતા ટ્રક દુકાનોમાં ઘુસ્યો
હાઈવે પર બેકાબૂ થયેલ ટ્રક આઠ જેટલી કાચી દુકાનો તોડીને પલટી ખાઈ ગઇ હતી. જેને લઇને 2થી વધુ વ્યક્તિઓ ટ્રક નીચે ફસાયાની આશંકા વ્યક્ત કરાઇ રહી હતી. અંધારાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી સર્જાઇ છે.
અકસ્માત બાદ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, શામળાજીના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પરથી પસાર થતી એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી. જેને લઇને રોડની સાઈડમાં ઉતરી ગઇ અને આઠ જેટલી દુકાનોને તોડી પલટી ખાઈ ગઇ હતી.