પશ્ચિમ બંગાળના વન અધિકારીઓએ શુક્રવારે રાત્રે જલપાઈગુડીના ગજોલ્ડોબાની પાસે બે ઘાયલ કંગારૂઓનું રેસ્ક્યુ કર્યુ. બૈકુંઠપુર વન કુટુંબ અંતર્ગત બેલાકોબા વન ક્ષેત્રના રેન્જર સંજય દત્તાએ કહ્યું કે પેટ્રોલિંગ દરમ્યાન બે કંગારૂ મળ્યાં છે.
પશ્ચિમ બંગાળના વન અધિકારીઓએ બે ઘાયલ કંગારૂઓનું કર્યુ રેસ્ક્યુ
કંગારૂઓને વધુ સારવાર માટે બંગાલ સફારી પાર્ક લાવવામાં આવ્યાં
આરઓનુ નિવેદન, વિશેષ અધિકારીઓની ટીમે મામલાની તપાસ શરૂ કરી
કંગારૂઓના શરીર પર ઈજાના નિશાન
અધિકારીઓને બંને કંગારૂઓના શરીર પર અમુક ગંભીર ઈજા જોવા મળી. ત્યારબાદ કંગારૂઓને વધુ સારવાર માટે તાત્કાલિક બંગાલ સફારી પાર્ક લાવવામાં આવ્યાં. આરઓએ જણાવ્યું કે વિશેષ અધિકારીઓની ટીમે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ફોરેસ્ટ રેન્જર એસ દત્તાએ કહ્યું કે અમે આ કંગારૂઓના ઠેકાણાની જાણકારી મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે, તેને કોણ અને કેવીરીતે જંગલમાં લઇને આવ્યું. કંગારૂઓને જંગલમાં લાવવા પાછળનું કારણ શું હતુ. તેની પાછળના જવાબ તપાસવામાં આવશે.
ભારતમાં જોવા મળતા નથી કંગારૂ
પશ્ચિમ બંગાળ પોલીસે માર્ચમાં કંગારૂઓને ગેરકાયદેસર રીતે લઇ જવાના આરોપમાં હૈદ્રાબાદના બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કંગારૂ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7000 કિલોમીટરની યાત્રા કરી મિઝોરમ કેવીરીતે ગયુ તે પણ એક પહેલી છે. કંગારૂ ઓસ્ટ્રેલિયામાં મળતા એક સ્તનધારી પશુ છે. આ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પશુ પણ છે. આ પ્રાણી ફક્ત ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. કંગારૂ ભારતમાં જોવા મળતા નથી. ફક્ત અમુક ચિડિયાઘરમાં કંગારૂ છે.
2011માં પહેલી વખત ચિડિયાઘરમાં લાવવામાં આવ્યાં હતા કંગારૂ
જૂન 2011માં કોલકત્તાના અલીપુર ચિડિયાઘરે મધ્ય યુરોપમાંથી બે જોડી લાલ કંગારૂ લાવવામાં આવ્યાં. પરંતુ આ બધાના મોત થયા. છેલ્લે લાલ કંગારૂનુ મોત ઓક્ટોબર 2015માં થયુ હતુ. ત્યારબાદ કોલકત્તાના ચિડિયાઘરને 2016માં યોકોહોમા ચિડિયાઘરમાંથી ચાર પૂર્વી ગ્રે કંગારૂ મળ્યાં.