છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદી હુમલામાં બે જવાન શહીદ થયા છે.
હુમલામાં બે જવાન થયા શહીદ
પોતાના સાથીઓના ધરપકડનો લીધો બદલ
હુમલો કર્યા બાદ હથિયારોની કરી લૂંટ
નક્સલવાદી કડેમેટા કેમ્પથી 600 મીટરના અંતરથી સૈનિકો પર હુમલો કર્યો. ત્યારબાદ સૈનિકો પાસેથી AK-47 રાઇફલ, બે બુલેટપ્રૂફ જેકેટ અને વોકી ટોકી લૂંટીને નક્સલવાદીઓ ફરાર થઈ ગઈ હતા. શહીદ થયેલા સૈનિકો ITBPની 45મી બટાલિયનની E કંપનીના સૈનિક હતા. બસ્તરના IG સુંદરરાજ પીએ આ માહિતી આપી છે.
ઘાત લગાવીને બેઠા હતા નક્સલીઓ
જાણકારી અનુસાર નક્સલીઓએ એમબુશ લગાવીને સર્ચિંગ પર નીકળેલા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધી. ITBP કેમ્પથી માત્ર 600 મીટર દૂર આ નક્સલીઓ બેઠા હતા અને તેમણે અચાનક જ જવાનો પર હુમલો કરી દીધો.
પોતાના સાથીઓના ધરપકડનો લીધો બદલો
ચાર દિવસ પહેલા સુરક્ષા દળોએ નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં ત્રણ નક્સલીઓની ધરપકડ કરી હતી. માનવામાં આવે છે કે નક્સલવાદીઓએ તેનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ દંતેવાડાના કુઆકોંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ નક્સલવાદીઓની ધરપકડ કરી હતી.
અગાઉ કરવામાં આવી હતી ત્રણ નક્સલવાદીઓની ધરપકડ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે કુઆકોંડા પોલીસ સ્ટેશનથી પોલીસ ટીમને બડેગુડરા અને એટેપાલ ગામ તરફ મોકલવામાં આવી હતી. જ્યારે ટીમ આટેપાલ ગામ નજીક જંગલમાં હતી, ત્યારે ત્રણ શંકાસ્પદ ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસ ટીમે તેમને પકડી લીધા હતા. જ્યારે પોલીસ ટીમે તેમની પૂછપરછ કરી ત્યારે તેઓએ તેમના નામ હંગા કરટામ, આયતા માડવી અને પોજ્જા ઉર્ફે લાઠી કરટામ તરીકે જણાવ્યા હતા.