પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બે ભારતીય અધિકારીઓ ગુમ થયાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યાનુંસાર પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશનના બે અધિકારીઓ છેલ્લા બે કલાકથી ગુમ છે. તેની શોધખોળ ચાલુ છે. આ સાથે પાકિસ્તાનના જવાબદાર અધિકારીઓ સામે આ મામલો ઉઠાવવામાં આવ્યો છે.
સીઆઈએસએફના 2 ડ્રાઈવર ગુમ
પાકિસ્તાનની સામે ભારતે ઉઠાવ્યા સવાલો
રાજદ્વારીને ધમકાવવાનો પ્રયાસ કરાયો હતો
માનવામાં આવી રહ્યું છે કે સીઆઈએસએફના બે ડ્રાઈવર ફરજ પર નીકળ્યા હતા. પરંતુ તેઓ તેમના નિયત સ્થાન પર પહોંચ્યા નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનું ક્યાંક અપહરણ કરવામાં તો નથી આવ્યું ને. ડ્રાઇવરની શોધ કરવામાં આવી રહી છે. તેમજ પાકિસ્તાન સરકારને ગાયબ થવા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા છે.
રાજદ્વારીને ધમકાવવાનો પ્રયાસ કરાયો હતો
આ ઘટના પહેલા સમાચાર હતા કે ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈએસઆઈ એજન્ટ ભારતીય રાજદ્વારીનો પીછો કરી રહ્યો હતો. તેમની જાસૂસી કરી હતી. ભારતે આ મામલે સખત વિરોધ દર્શાવ્યો હતો.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ઇન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) દ્વારા ઇસ્લામાબાદમાં ફરજ બજાવી રહેલા ટોચના ભારતીય રાજદ્વારી ગૌરવ આહલુવાલિયાની પજવણીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગૌરવ આહલુવાલિયાને ડરાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૌરવ આહલુવાલિયાનો પણ બાઇક દ્વારા પીછો કરાયો હતો.
જાસૂસીના આરોપમાં બે પાકિસ્તાની અધિકારીઓને પરત મોકલવામાં આવ્યા હતા
આ અગાઉ દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના બે વિઝા સહાયકોને ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમના પર ભારતીય સુરક્ષા સજ્જતા સહિત આંતરિક સુરક્ષાને લગતી માહિતીની જાસૂસી કરવાનો આરોપ મૂકાયો હતો. પાકિસ્તાનના આ બંને અધિકારીઓને પર્સોના-નોન ગ્રેટા તરીકે જાહેર કરીને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા હતા.