એક તરફ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ભારતમાં આ રોગ સુનામી લઇને આવી શકે છે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કેન્સર દર્દીઓના સફળ ઇલાજ અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચોના કારણે દુનિયાભરમાં જાણીતા ભારતીય મૂળના 2 અમેરિકન ડૉક્ટરોએ ભારતને લઇને ચેતવણી જાહેર કરી છે.
યોગ્ય પગલાં ન લીધા તો આવી શકે કેન્સરની સુનામી
ભારતમાં રોજ કેન્સરથી થાય છે 1300 મોત
દિગ્ગજ નેતાઓની સફળ સારવાર કરનારા ડૉક્ટરની ચેતવણી
ડૉક્ટર દત્તાત્રેયુડૂ નોરી અને ડૉક્ટર રેખા ભંડારીએ ચેતવ્યા છે કે જો તાત્કાલિક અને જરૂરી પગલા નહીં ભરવામાં આવે તો ભારતમાં લોકો ખુબ જ કેન્સરની સુનામીની ઝપેટમાં આવી જશે.
અનેક મોટા નેતાઓની સફળ સારવાર કરનારા ડૉક્ટરની ચેતવણી
જાણીતા કેન્સર રોગ વિશેષજ્ઞ ડૉક્ટર દત્તાત્રેયુડૂ નોરી આ ઘાતક બીમારીથી પીડિત કેટલાક મોટા ભારતીય નેતાઓની સારવાર કરી ચૂક્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત નીલમ સંજીવ રેડ્ડી પણ સામેલ છે. ડૉક્ટર રેખા ભંડારી પીડાથી રાહત આપતી દવાઓના ક્ષેત્રમાં પોતાના રિસર્ચ માટે જાણીતા છે. બન્નેએ જણાવ્યું કે હેલ્થ એજ્યુકેશન અને રોગના શરૂઆતના તબક્કામાં જ ઓળખવાના જબરદસ્ત પ્રયાસો દ્વારા જ ભારતને કેન્સરની સુનામીમાં આવતા રોકી શકાશે.
ભારતમાં દરરોજ 1300 લોકોના કેન્સરથી મોત થઇ રહ્યા છે
ભારતીય મૂળના બન્ને ડૉક્ટરોએ ચેતવ્યા છે કે તાત્કાલિક જરૂરી અને યોગ્ય નિર્ણયો નહીં લેવામાં આવે તો તેમના જન્મસ્થાનવાળા દેશ આ ભીષણ બીમારીની સુનામીની ઝપેટમાં આવી શકે છે. નોરીએ જણાવ્યું હતું કે, ભારતમાં દરરોજ કેન્સરથી 1300 લોકોના મોત થઇ રહ્યા છે. ભારતમાં દરરોજ કેન્સરના અંદાજિત 12 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આ અર્લી ડિટેક્શનને લોવર રેટ અને ખરાબ સારવાર તરફ ઇશારો કરે છે.
ન્યૂયોર્ક બેસ્ટ ભારતીય અમેરિકન ડૉક્ટર નોરીએ કેટલાક ઉચ્ચ ભારતીય નેતાઓનો સફળ ઇલાજ કર્યો છે પરંતુ તેઓ ખુદને લો-પ્રોફાઇલ રાખવાનું પસંદ કરે છે. તેઓ મીડિયા સાથે વાતચીતથી બચે છે. તેમણે કહ્યું કે કેન્સરથી ભારતના લોકોને સામાજિક અને આર્થિકરીતે ગંભીર સમસ્યાઓથી જજૂમવું પડે છે. આ બીમારી પીડિત પરિવારને ગરીબીના કિચડમાં ધકેલી દે છે અને સામાજિક અસમાનતાને પ્રોત્સાહન આપે છે.
2030 સુધી ભારતમાં કેન્સરના વાર્ષિક 17 લાખ નવા કેસની ભવિષ્યવાણી
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સરની ભવિષ્યવાણી છે કે 2030 સુધીમાં ભારતમાં દર વર્ષે કેન્સરના અંદાજિત 17 લાખ નવા કેસ સામે આવશે. નોરીએ કહ્યું કે જો આપણે જરૂરી પગલા નહીં ભરીએ તો કેન્સર સુનામી જેવું થઇ જશે. મોંઘી સારવાર તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે ભારતમાં જો કોઈ પરિવારનો કોઇ પણ સભ્યમાં કેન્સરની પુષ્ટી થાય છે તો સમગ્ર પરિવાર જ ગરીબી રેખા નીચે ચાલ્યો જાય છે. તેમણે આને ભારતમાં પબ્લિક હેલ્થ કેરનો મોટો પડકાર કરાર આપ્યો છે.
આયુષ્માન ભારત અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામથી પ્રભાવિત છે બન્ને
2015માં પદ્મ શ્રીથી સન્માનિત થયેલ ડૉક્ટર નોરી પીએમ મોદીના આયુષ્માન ભારત પ્રોજેક્ટ અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ બનાવવાના નિર્ણયથી ઘણા પ્રભાવીત છે. તેમણે આને યોગ્ય દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો. નોરી અને ભંડારી બન્નેએ કહ્યું કે કેન્સરના ખતરાથી લડવા માટે અર્લી ડિટેક્શન અને હેલ્થ એજ્યુકેશનનો ઝડપથી પ્રસાર બહુજ જરૂરી છે. બન્ને જ ડૉક્ટરોએ અમેરિકીમાં પ્રાવસીયોને આપવામાં આવતા સૌથી મોટા નાગરિક સન્માન એલિસ આઈલેન્ડ મેડલ ઑફ ઑનરથી સન્માનત કરાઇ ચૂક્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન દર વર્ષે તે લોકોને આપવામાં આવે છે જે દેશમાં સેવાના ક્ષેત્રમાં એવું કામ કર્યું હોય જે લોકોને ઉજવણી કરવા અથવા ગર્વ કરવાનો મોકો આપે છે. આ સન્માન મેળવનારામાં ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક અમેરિકન રાષ્ટ્રપતિ અને નોબલ પુરસ્કાર વિજેતા પણ સામેલ છે.
બન્ને વિશેષજ્ઞોએ સરકારને આપી કેટલીક મહત્વની સલાહ
બન્ને જ ડૉક્ટર ભારતમાં કેન્સરના પડકારથી લડવાની દિશામાં કામ કરી રહ્યા છે. ડૉક્ટર નોરીએ આના માટે ભારત સરકારને કેટલીક સૂચન કર્યા છે. બીજી તરફ ડૉક્ટર ભંડારી આના શરૂઆતી તબક્કામાં જ ઓળખ માટે બ્લોક ચેન, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જેવા નવા આઈટી ટૂલ્સ પર કામ કરી રહી છે. ભારતમાં કેન્સરના સૌથી વધુ કેસ પાછળ મુખ્ય કારણ તમાકૂ છે. તેમણે કહ્યું કે હું નેશનલ કેન્સર રજિસ્ટ્રી બનાવવા અને આયુષ્માન ભારત પ્રોગ્રામથી બહુ ખુશ છું. બન્ને ડૉક્ટરોએ સરકારને કેન્સર હોટલાઇન બનાવવા, રિઝનલ કેન્સર સેન્ટર અને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર જેવી ઝડપથી વધી રહેલા રોગો માટે ટાસ્ક ફોર્સ બનાવવા કેટલીક સલાહ આપી છે.