દાહોદના ખરોદા ગામમાં તળાવમાં ન્હાવા ગયેલી બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
દાહોદના ખરોદા ગામની ઘટના
તળાવમાં ડૂબવાથી 2 કિશોરીના મોત
સિંચાઈ તળાવમાં ન્હાવા ગયા હતા
રાજ્યમાં ગરમીનો પારો વધવાથી લોકો મોટા ભાગે નદીઓ અને તળાવો પર ન્હાવા જતાં હોય છે. જ્યાં નદીમાં ન્હાવાથી ઘણી વાર મોટી દુર્ઘટના પણ ઘટી જતી હોય છે. આવી જ એક ઘટના દાહોદના ખરોદા ગામમાંથી સામે આવી છે. જ્યાં તળાવમાં ન્હાવા ગયેલા 4 કિશોરી અને 1 કિશોરમાંથી 2 કિશોરીઓના મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય ત્રણનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
તળાવમાં 4 કિશોરી અને 1 કિશોર ન્હાવા ગયા હતા
દાહોદના ખરોદા ગામે એક ચકચારી ઘટના સામે આવી છે. ખરોદા ગામમાં આવેલા એક સિંચાઈના તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા.
2 કિશોરી અને 1 કિશોરનો થયો આબાદ બચાવ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના ખરોદા ગામમાં આવેલા એક સિંચાઈના તળાવમાં ન્હવા માટે 4 કિશોરી અને 1 કિશોર ઉતર્યા હતા. જો કે, આ દરમિયાન બે કિશોરીઓ તળાવમાં એકા એક ડૂબી જતાં તેઓનું મોત થવા પામ્યું હતું. જો કે, આ ઘટનામાં અન્ય 2 કિશોરી અને 1 યુવકનો આબાદ બચાવ થયો છે.
ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢયા
આ વાતની જાણ જ્યારે પોલીસને થતાં પોલીસનો કાફલો તાત્કાલિત તળાવ કિનારે પહોંચી ગયા હતાં. અને ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ લઇ જવાયા હતાં. ઉલ્લેખનીય છે કે,9 વર્ષ અને 10 વર્ષની બાળકીઓનું તળાવમાં ડૂબવાથી થયેલા મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગમી છવાઈ ગઈ છે.