ખેડૂતોના આંદોલન દરમિયાન દિલ્હીમાં થયેલા ઉપદ્રવ મામલે ખેડૂત સંગઠનો દ્વારા જ એક્શન લેવામાં આવ્યું છે.
સંયુક્ત કિસાન મોર્ચાનો નિર્ણય
ટ્રેક્ટર રેલીમાં રૂટ બદલનાર સામે તપાસ
તપાસ માટે બનાવાઇ કમિટી
સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો નિર્ણય
ગણતંત્ર દિવસની ટ્રેક્ટર પરેડમાં દિલ્હીમાં ઉપદ્રવ અને હિંસા બાદ સંયુક્ત કિસાન મોરચાએ હવે મોટો નિર્ણય લીધો છે. સંયુક્ત કિસાન મોરચાએ રૂટ બદલનાર બે સંગઠનોને સસ્પેન્ડ કર્યા છે અને તેમના વિરુદ્ધ તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે.
ટ્રેક્ટર રેલીમાં રૂટ બદલનાર બે સંગઠનને નિલંબિત કર્યા
આ કમિટીની તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે આ બે સંગઠનો ભટકી ગયા હતા કે પછી જાતે જ રૂટ બદલી નાખ્યો હતો. બીજી તરફ મોરચાના નેતાઓએ પણ સાફ કરી દીધું છે કે રાકેશ ટીકૈતે મોરચાથી વાતચીત કર્યા વગર જ આંદોલનની રણનીતિ બદલી છે અને યુપી અને ઉત્તરાખંડમાં જામ નહીં કરવાનો નિર્ણય લીધો.
કમિટીના રિપોર્ટ બાદ સમગ્ર મામલાનો ખુલાસો થશે
નોંધનીય છે કે ગઇકાલે ખેડૂતો દ્વારા દેશના વિવિધ શહેરોમાં ચક્કાજામ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું જે બાદ શનિવારે સાંજે એક બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં 32ની જગ્યાએ માત્ર 14 જ સંગઠનો પહોંચ્યા હતા. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. ખેડૂતો નેતાઓએ જણાવ્યું કે ભાકીયુ ક્રાંતિકારીના અધ્યક્ષ સુરજીત ફૂલ ગુટના અધ્યક્ષ સુરજીત સિંહ અને આઝાદ કિસાન કમિટીના હરપાલ સિંહ સાંગાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ખેડૂત આગેવાનોએ કહ્યું કે રાકેશ ટીકૈતે યુપી અને ઉત્તરાખંડમાં હિંસા ન થાય તે માટે ત્યાં ચક્કાજામ ન કરવા કહ્યું હતું પરંતુ તે વાત સાચી છે કે તેમણે આ મુદ્દે રણનીતિ જાતે જ બદલી હતી અને નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો.