અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં કબૂતરો ઉડયાની ઘટના સામે આવી છે. કબૂતર ઉડતા એરલાઈન્સની બેદરકારી સામે આવી છે. ગોએરની ફલાઈટ G8-702ની ફ્લાઇટ જયપુર જતી સમયે ઘટના બની છે.
અમદાવાદ-જયપુર જતી ફ્લાઈટમાં 2 કબૂતરો ઉડ્યા
કબૂતરે એરલાઈન્સની અવ્યવસ્થાની પોલ ખોલી
ગોએરની ફ્લાઇટ G8-702ની ફ્લાઇટ જતી હતી જયપુર
ગોએરની ફલાઈટના ટેકઓફ સમયે 2 કબૂતરો ઉડયા હતા. કબૂતર ઉડતા પેસેન્જ-ફૂ સ્ટાફની દોડાદોડ મચી ગઈ હતી. 10 દિવસ અગાઉ બર્ડ હિટથી ફલાઈટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે ગોએરની ફલાઈટમાં ટેકઓફ પહેલા આગ લાગી હતી.
આ રીતે બહાર કાઢ્યા કબૂતર
પેસેન્જરે લગેજ શેલ્ફ ખોલતા 2 કબૂતર બહાર નીકળ્યા હતા. ફ્લાઈટમાં કબૂતર ઉડતા પેસેન્જ-ક્રૂ સ્ટાફની દોડધામ મચી ગઈ હતી.