યુપીના ફરુખાબાદ જિલ્લામા બટાકા અને ફૂલાવરનું શાક ખાધા બાદ બે લોકોના મોત થયા હતા તથા 3 લોકો ગંભીર રીતે બીમાર પડ્યાં હતા.
યુપીના ફરુખાબાદની ઘટના
બટાટા-ફૂલાવરનું શાક ખાધા બાદ 2 લોકોના મોત
3 લોકોની હાલત ગંભીર
પોલીસ અધિકારીએ કહ્યું કે સબ્જીમાં કિટનાશક હોવાની સંભાવના
યુપીના ફરુખાબાદ જિલ્લામા બટાકા અને ફૂલાવરનું શાક ખાધા બાદ બે લોકોના મોત થયા હતા તથા 3 લોકો ગંભીર રીતે બીમાર પડ્યાં હતા.
બટાકા-ફુલાવરનું શાક ખાધા બાદ થયા મોત
મીડિયા રિપોર્ટ અનુસાર યુપીના ફરુખાબાદ જિલ્લાના રાજેપુર વિસ્તારમાં 45 વર્ષીય ઈરશાદ અને તેમના પુત્ર લલ્લાએ રાતે બટાકા અને ફુલાવરનું શાક ખાદ્યુ હતું. લગભગ અડધા કલાક બાદ તેમને ઉલટી થવા લાગી હતી ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં ઈરશાદ અને લલ્લાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા જ્યારે સાજિદા, મજીદા અને માજિદની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
શાકમાં જંતુનાશક દવાઓ હોઈ શકે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શક્ય છે કે શાકભાજીમાં જંતુનાશકદવાઓ હોવી જોઈએ અને રાંધતા પહેલા યોગ્ય રીતે ધોવામાં આવી નથી.