મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે મોતનો પહેલો કેસ સામે આવ્યો હતો.
મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે મોતનો પહેલો કેસ સામે આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે બે લોકોના મોત થયા હતા જેનાં કારણે ભીનો માહોલ બની ગયો હતો. આમાંથી એક ઘટના રત્નાગિરી અને એક ઘટના મુંબઈના ઘટકોપરની હોવાનું બહાર આવ્યું હતું.
વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં મોત
મુંબઈમાં ઘટકોપર વિસ્તારમાં રેટ એક 63 વર્ષીય મહિલાનું જુલાઈમાં મોત થયું હતું જેની રિપોર્ટ હવે સામે આવી છે જેમાં ખુલાસો થયો હતો કે આ મહિલાએ વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા અને છતાં તેમણે કોરોના થયાં બાદ મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં હજુ સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે બે મોત સામે આવ્યા હતા. આ અગાઉ રત્નાગિરી ,આ 13 જૂને એક 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
આ જાણકારી બૃહતમુંબાઈ નગર નિગમ દ્વારા આપવામાં આવી હતી. જેમાં સ્કેનિંગમાં સામે આવ્યું હતું કે મુંબઇમાં 7 લોકો ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે સંક્રમિત થયા હતા. ત્યાર બાદ BMC દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું આવું
પરિવાર જનોને મળ્યા બાદ BMC નાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેમનું મોત 27 જુલાઇનાં રોજ થઈ ગયું હતું. ત્યાર બાદ અન્ય બે લોકો જે તેમના સંપર્કમાં આવ્યા હતા તેમનામાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો હતો. 63 વર્ષીય દર્દીનું મોત ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કારણે થયું હતું અને સંપર્કમાં આવેલ 6 લોકોમાંથી બીજા બે લોકો પણ પોઝિટિવ આવ્યા હતા.
ઘરે જ ઑક્સીજન સપોર્ટ પર હતા
આ મહિલાએ વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા તેમ છતાં તેઓ સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને ઘરે જ ઑક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ 24 જુલાઈએ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં ત્રણ દિવસ ઈલાજ બાદ તેમનું મૃત્યુ થયું હતું.