બુધવારે બે અલગ અલગ આપઘાતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઉદયપુરમાં એક પરિવારે આપઘાત કર્યો જેમાં બેના મોત થયા જ્યારે પંચમહાલમાં પ્રેમી યુગલે આપઘાત કર્યો છે
મોડાસાના પરિવારે ઉદયપુરમાં આપઘાત કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. હર્ષ પેલેસ હોટલમાં પરિવારના સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લીધી છે. જેમાં પતિ અને પત્નીનું મોત થયું છે. જ્યારે બે બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ પરિવાર મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલો હતો. આ મામલે ઉદયપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં યુગલનો આપઘાત
પંચમહાલમાં પ્રેમી યુગલે આપઘાત કર્યો છે. એક સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ છે. આથી શહેરાના સાજીવાવ ગામે તળાવ ફળિયામાં આ ઘટના બની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે.