બે દિવસ અગાઉ રાજકોટના કાલાવડ રોડ પરના નિરાલી રિસોર્ટ નજીક ઓરડીમાં આગની ઘટનામાં 2 કર્મચારીનું સારવાર દરમિયાન મોત, 8 કર્મચારીઓને પહોંચી હતી ઈજા
રાજકોટમાં નિરાલી રિસોર્ટ નજીક ઓરડીમાં આગનો મામલો
2 કર્મચારીનું સારવાર દરમિયાન મૃત્યુ
આગને કારણે 8 કર્મીઓને પહોંચી હતી ગંભીર ઈજા
રાજકોટમાં નિરાલી રિસોર્ટમાં લાગેલી આગની ઘટનામાં રિસોર્ટના બે કર્મચારીનું મૃત્યુ થયું છે. જ્યારે એક કર્મચારીની હાલત વધુ ગંભીર છે. કર્મચારીઓનું મૃત્યુ થતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાંક રૂમમાં આગ લાગી હતી. ત્યારે કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ ઘટનામાં દાઝ્યા હતા. આગને કારણે રિસોર્ટના 8 કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. ત્યારે ભોગ બનનારે કહ્યું કે, આગ લાગી ત્યારે ઓરડાનો દરવાજો બહારથી બંધ હતો.
ઓરડીમાં આગની ઘટનાને લઈ ઉઠ્યા સવાલ
આગની ઘટનાને લઈ હજુ પણ ચોક્કસ કારણ શોધવાની કામગીરી શરૂ છે. તો જે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તે તમામ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. અને માહિતી પ્રમાણે 1 મહિના અગાઉ જ નોકરી માટે આવ્યા હતા. જે લોકો લગૂન અને નિરાલી રિસોર્ટમાં નોકરી કરી રહ્યા હતા. પ્રાથમિક વાતમાં તો મોબાઈલની બેટરી ફાટવાનું કારણ દર્શાવ્યું હતું. પરંતુ એક વાત સામે આવી કે, આગની ઘટના સમયે ઓરડીનો દરવાજો બહારથી બંધ હતો. જેને લઈને પણ મોટા સવાલો ઉઠી રહ્યા છે. શું આ કોઈ ષડયંત્ર હતું કે, આકસ્મિક ઘટના. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.