સુરેન્દ્રનગરમાં મુળીના થાન પંથકમાં કુવામાં ટ્રેક્ટર ખાબકવાની દુર્ઘટના; બે શ્રમિકના મોત ત્રણ સારવાર હેઠળ
મુળીના થાનમાં કુવામાં ટ્રેક્ટર ખાબક્યું
ટ્રેક્ટર ખાબકતા 5 શ્રમિકો દટાયા, 2 શ્રમિકોના મોત
અન્ય 3ની હાલત ગંભીર થતા હોસ્પિયલ ખસેડાયા
સુરેન્દ્રનગરમાં મુળીના થાન વિસ્તારમાં દુર્ઘટના ઘટી છે. મુળીના થાન વિસ્તારમાં કુવામાં ટ્ર્ક્ટર ખાબકતા પાંચ શ્રમિક દટાયા હતા જે પૈકી બે શ્રમિકના મોત થયા છે તેમજ અન્ય ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડલામાં આવ્યાં છે. ટ્રેક્ટર કુવામાં ખાબકવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ટ્રેક્ટર કુવામાં ખાબકતા બેના મોત
સુરેન્દ્રમગરના મુળી તાલુકાના થાન વિસ્તારમાં ટ્રેક્ટર કુવામાં ખાબતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. જે ઘટનામાં પાંચ શ્રમિકમાં દટાયા હતા જેમાં બેના મોત થયા હતા અને ત્રણને ગંભીર સ્થતિમાં સારવાર માટે હોસ્પિટ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર કુવામાં ખાબકતા સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરામાં આવી હતી અને પાંચ શ્રમિકોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બેના મોત થયા છે અને ત્રણ શ્રમિક સારવાર હેઠળ છે.
સમગ્ર દુર્ઘટનાથી તંત્ર અજાણ
થાન પંથકમાં ટ્રેક્ટર ખાબકવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકના મોત થયા છે અને ત્રણ સારવાર હેઠળ છે આવી મોટી દુર્ઘટનાથી તંત્ર અજાણ છે તેવી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળે છે. દુર્ઘટનાને ઘટવા પાછળનો કારણ અકબંધ છે. મોટી દુર્ઘટનાના પગલે તંત્ર અજાણને લઈ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે