વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યુ. કમોસમી વરસાદે ખેડૂતોની પરેશાનીમાં વધારો કરી મૂક્યો છે. વરસાદ બાદ તીડ પડ્યા છે ત્યારે વળી કમોસમી વરસાદને પગલે ઉભો મોલ બગડવાની આશંકા સેવાઈ રહી છે. આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાતમાં હવામાન પલટાશે
કમોસમી વરસાદ ખેડૂતો માટે મોત સમાન
ઘઉં, કઠોળ, તેલિબિયાંના પાકને નુકસાન
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. શિયાળાની ઋતુમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાતમાં પલાટાશે વાતાવરણ
23 અને 24 ડિસેમ્બરે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.
ઉભો મોલ બગડશે
ઘઉં, રાયડો, વરિયાળી, જીરૂં, કપાસનો ઉભો પાક બગડશે. વળી તુવેર અને ચણા, મગના પાકને પણ નુકસાન પહોંચશે.