આજથી બે દિવસ માટે ભવનાથમાં જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જૂનાગઢના ભવનાથમાં જવા પર પ્રતિબંધ
પિતૃતર્પણ માટે મોટી સંખ્યમાં આવે છે લોકો
કોરોના સંક્રમણને લઈ તંત્રએ લીધો નિર્ણય
જૂનાગઢમાં ભવનાથના દર્શને જતા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે, આજથી બે દિવસ માટે ભવનાથમાં જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
પિતૃતર્પણ માટે મોટી સંખ્યમાં આવે છે લોકો
જૂનાગઢના ભવનાથમાં ભાદરવી પૂનમમાં મોટી સંખ્યમાં લોકો આવતા હોય છે અને ભવનાથમાં પિતૃતર્પણનું પણ ખાસ મહત્વ હોવાનું માનવામાં આવે છે. ત્યારે કલેક્ટર દ્વારા આજે અને આવતી કાલે ભવનાથમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ ફેલાવાના ભયને લઈ તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એક તરફ રાજ્યમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોના કેસ સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમણને લઈ તંત્રએ લીધો નિર્ણય
દેશ અને દુનિયામાં પણ કોરોનાની નવા અને ઘાતક વેરિયન્ય સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ ન ફેલાય અને ભવનાથના દર્શને આવતા ભક્તોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભવનાથમાં ભાદરવી અમાસે દામોદર કુંડમાં સ્નાનની પણ મનાઈ કરવામાં આવી છે. તેમજ 5 અને 6 સપ્ટેમ્બરે દામોદર કુંડ અને ભવનાથમાં પ્રવેશ પર મનાઈ કરતું જાહેરનામું બહાર પાડી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.