શાળાઓ ખૂલી ત્યારે વેકેશન પછી આરટીઓએ નામ પૂરતી બે દિવસ કરવા ખાતરની સિઝનલ ડ્રાઇવ કરીને પછી પરદો પાડી દીધો હતો, પરંતુ ગઈ કાલે નિકોલ ખાતે સ્કૂલ વાનનો દરવાજો ખુલ્લો હોઈ વાનમાંથી બાળકો બહાર પટકાઈ જવાની ઘટનાના પગલે આરટીઓ તંત્રને પાછું દોડવું પડ્યું છે.
નિકોલની ઘટનાએ આરટીઓ તંત્રની પોલ ખોલી નાખી છે. આજે સવારથી સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ અને વસ્ત્રાલમાં ડ્રાઇવ હાથ ધરાઇ છે. જેમાં આરટીઓએ કડક કાર્યવાહી કરતા નિકોલની દેવસ્ય સ્કૂલની તમામ ૪૧ વાનમાં ફાયરસેફટીનો અભાવ જોવા મળ્યો હતો.
જેના પગલેે તમામ વાન ડિટેઇન કરાઇ હતી. તેના એક પણ વાહનમાં ફાયરસેફટી નહોતી અને આરટીઓ ટેકસ પણ ભર્યો ન હતો. આ ઉપરાંત નિકોલની સંકલ્પ સ્કૂલમાં પણ એક સ્કૂલવાન ડિટેઇન કરાઇ છે. આ લખાય છે ત્યાં સુધી આરટીઓની કાર્યવાહી ચાલુ હોવાથી આજના દિવસે અનેક પોલ બહાર આવશે.
RTO ની કાર્યવાહીનાના ડરથી વાહનચાલકોઓએ ન દોડાવી વાન
આરટીઓની કાર્યવાહીના ડરથી આજે શહેરના ૪૦ ટકા સ્કૂલ વાનચાલકોએ વાહનો નહીં દોડાવવાના કારણે વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે મૂકવા માટે દોડવું પડ્યું હતું. વાલીઓ બાળકોને જ્યારે વાન કે રિક્ષા સુધી મૂકવા જાય છે ત્યારે ક્ષમતાથી વધુ બાળકો વાન કે રિક્ષામાં બેઠેલાં હોવાનું જોવા છતાં પોતાના બાળકની સલામતીને કોરાણે મૂકી આંખ આડા કાન કરે છે. વાલીઓની ઉદાસીનતા વાનચાલકોની બેદરકારીને પ્રોત્સાહન આપે છે. આજે જેમણે પણ વાહનો દોડાવ્યાં તેમણે નિયમ મુજબ જ બાળકો બેસાડ્યાં હોવાનું જણાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે નિકોલની પંચામૃત સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલ વાનના ચાલક કાળુ દેસાઇએ વાનનો દરવાજો ખુલ્લો રાખીને સ્પીડમાં વાહન ચલાવતાં વળાંક આવતાં જ ધોરણ-૧૧ (કોમર્સ)ની વિદ્યાિર્થની, ધોરણ-૩ના બે વિદ્યાર્થી નીચે પડ્યા હતા, પરંતુ વિદ્યાિર્થનીએ ધોરણ-૩નાં બે બાળકોને ખોળામાં રાખી લેતાં તેમને ઇજા થઇ ન હતી.
વસ્ત્રાલ એઆરટીઓ નિમિષા પંચાલ સાંજ સુધી ઘટનાથી અજાણ હતાં અને સ્કૂલ બંધ થઇ ગયા બાદ તેઓ સ્કૂલ પર ગયાં હતાં. પૂર્વ વિસ્તારમાં રોજબરોજ ભારે વાહનો સામાન્ય લોકોના જીવ લે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ભારે વાહનો સામે કે આવાં વાહનો સામે કોઇ જ કાર્યવાહી થતી નથી તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે.
સ્કૂલ વાન માટે કડક છે કાયદા
માર્ગ સલામતીના સ્કૂલ વાન માટેના કાયદા ખૂબ જ કડક છે. ખાનગી રિજસ્ટ્રેશન (પાસિંગ)નાં વાહનોમાં બાળકોને લાવવા-લઇ જવાં એ ગંભીર ગુનો છે. બાળકો અને વિદ્યાર્થીઓની સલામતી માટે કડક કાયદા અમલમાં તો છે, પરંતુ તેનું પાલન નહીં થતું હોવાથી અત્યાર સુધી લોલંલોલ જ ચાલ્યું છે. પોલીસ અને આરટીઓની ઝુંબેશથી બચવા માટે છેલ્લા ત્રણ-ચાર દિવસ સ્કૂલવર્ધીનું કામકાજ સ્થગિત કરનારા સ્કૂલ વાન માલિકો રસ્તો શોધી રહ્યા છે.
સ્કૂલ વાનચાલક માટે જરૂરી વિગત
સ્કૂલ વાનચાલક માટે જરૂરી વિગતોમાં સ્કૂલવર્ધીનું વાહન અને તેમાં લાવવા-લઇ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્સ, પરમિટ, પીયુસી અને ફિટનેસ જરૂરી, ડ્રાઈવર પાસે અધિકૃત લાઇસન્સ, ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનો બેઝ ફરજિયાત હોવો જોઈએ અને ડ્રાઇવરની સીટ પર કોઈ પણ બાળકને બેસાડી શકાશે નહીં, સ્કૂલવર્ધી વાહનોમાં ૧૨ વર્ષ સુધીનાં બાળકો માટે એક સીટદીઠ બે બાળક બેસી શકશે. વાહનમાં બાળકોનાં દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાય નહીં, વીમા, ટેક્સ અને પરિમટ સ્કૂલ વાન સંચાલકો માટે સૌથી મોટું આર્થિક ભારણ અંતે વાલીઓના માથે આવશે. ખાનગી રિજસ્ટ્રેશન (પાિસંગ) ધરાવતાં વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઇ જવાં મોટર વિહિકલ એક્ટ- ૧૯૮૮ની કલમ-૩૯ અને ૧૯૨ હેઠળ ગંભીર ગુનો છે.
આવું વાહન કલમ-૧૩ અનુસાર સસ્પેન્ડ કરવાનાં પગલાં લેવાં, વાહનમાં બલ્બ હોર્ન બેસાડેલ હોવું જોઈએ અને આવું હોર્ન હંમેશાં ચાલુ હાલતમાં હોવું જોઈએ, આવું વાહન કલાકના ૨૦ કિ.મી. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહીં, જો વાહન બાળકો માટે ભાડેથી ફરતું હોય તો તેના ઉપર સ્કૂલવર્ધી એમ સ્પષ્ટ લખેલું હોવું જોઈએ, વાહન ઉપર તેના માલિકનાં નામ અને ટેિલફોન નંબર અવશ્ય લખેલાં હોવાં જોઈએ, વાહન ઉપર આગળ-પાછળ અને ડાબી તથા જમણી બાજુએ પીળા બેકગ્રાઉન્ડમાં લાલ રંગમાં સ્કૂલવાન ચિતરાવવાનું રહેશે.
અમદાવાદ સ્કૂલ ઓટોરિક્ષા સંઘના ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટનું નિવેદન
અમદાવાદ સ્કૂલ ઓટોરિક્ષા સંઘના ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અત્યારે કાયદા પ્રમાણે અમલ કરવા જઈએ તો એક વાહન માલિક પર ઇન્સ્યોરન્સ, ટેક્સ, પાસિંગ પરિમટ, પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટ વગેરે મળીને ત્રીસ- પાંત્રીસ હજારથી વધુનો ખર્ચ થાય એમ છે. વાહન માલિકો આ ખર્ચ ઉપાડી શકે તેમ નથી. તેથી ખર્ચનું ભારણ આખરે તો વાલીઓ પર જશે. આ ઉપરાંત બાળકોની સંખ્યાને લઈ જે નિયમ છે તેના કારણે વાહનમાં બાળકોની સંખ્યા ઘટાડવી પડશે અને આ ઘટ નિયમ મુજબનાં બાળકોની સંખ્યા વચ્ચે સરખા ભાગે વહેંચી લેવાશે. સંખ્યા ઘટતાં વાલીઓ પર રૂ.૨૦૦થી ૨૫૦નું ભારણ આવી શકે છે.
સ્કૂલવર્ધી વાન માટે કાયદાના નિયમો મુજબ સ્કૂલવર્ધીનાં વાહનોમાં કોઈ પણ મંજૂરી લીધા વગર સીએનજી અથવા એલપીજી ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુનો છે. સ્કૂલવર્ધી વાન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતી હોવાનું ધ્યાનમાં આવે તો વાહન ડિટેઇન કરવું અને કડક કાર્યવાહી કરવી.