સૂરોની લતા, દેશના સ્વર કોકિલાના નિધન પર દેશ આખો દુખી છે ત્યારે બે દિવસ માટે રાષ્ટ્રીય શૉક જાહેર કરવામાં આવ્યો છે.
અમર થઈ ગયા લતા તાઈના સ્વર
દેશ આખો શૉકમગ્ન
બે દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર
ભારતના સ્વર કોકિલાના સ્વર આજે અમર થઈ ગયા. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરે રવિવારે દેહત્યાગ કરતાં દેશ આખો શોકમાં ડૂબી ગયો છે. PM મોદીએ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી અને પરિજનો સાથે વાતચીત કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Two-day national mourning to be observed in memory of Lata Mangeshkar. The National flag to fly at half-mast for two days, as a mark of respect: Govt sources
સૂરોની લતા, દેશના સ્વર કોકિલાના નિધન પર દેશ આખો દુખી છે ત્યારે બે દિવસ માટે રાષ્ટ્રીય શૉક જાહેર કરવામાં આવ્યો છે.
PM મોદીએ કર્યું ટ્વિટ
PM મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લતા દીદીનો ખૂબ સ્નેહ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની સાથે થયેલ વાતચીત મારા માટે અવિસ્મરણીય છે. મેં પરિજનો સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે, અને હું આ દુખ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. દેશમાં તેમની જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં.
I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO
લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના
વિરાટ કોહલીએ પણ વ્યક્ત કર્યો શોક
Deeply saddened to hear about the demise of Lata ji. Her melodious songs touched millions of people around the world. Thank you for all the music and the memories. My deepest condolences to the family & the loved ones. 🙏
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમના યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમયાંતરે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળ્યો છે. તેમની અજોડ દેશભક્તિ, મધુર વાણી અને સૌમ્યતાથી તે હંમેશા આપણી વચ્ચે રહેશે. હું તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ શાંતિ
सुर व संगीत की पूरक लता दीदी ने अपनी सुर साधना व मंत्रमुग्ध कर देने वाली वाणी से न सिर्फ भारत बल्कि पूरे विश्व में हर पीढ़ी के जीवन को भारतीय संगीत की मिठास से सराबोर किया।
संगीत जगत में उनके योगदान को शब्दों में पिरोना संभव नहीं है।