પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે દર અઠવાડિયે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વળી, સરકારે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે.
આપને જણાવી દઈએ કે, રવિવારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના ચેપના 2,278 નવા કેસો સામે આવતા જ કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 42,487 થઈ ગઈ છે. રવિવારે આ જીવલેણ વાયરસથી વધુ 36 દર્દીઓનાં મોત બાદ, મૃતકોની સંખ્યા 1,112 પર પહોંચી ગઈ છે.
Complete lockdown will be in force across West Bengal on Thursday and Saturday this week: State Home Secretary Alapan Bandyopadhyay
કોલકાતામાં સૌથી વધુ મૃત્યુ 15 દર્દીઓમાં થયા હતા, ઉત્તર 24 પરગણામાં નવ, હુગલીમાં ચાર, હાવડા અને દક્ષિણ 24 પરગણામાં પ્રત્યેક ત્રણ, પૂર્વ મેદનીપુર અને પશ્ચિમ મેદિનીપુરમાં એક. રાજ્યના આરોગ્ય બુલેટિન મુજબ, રાજ્યમાં 16,492 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 1,344 લોકો ચેપ મુક્ત થયા છે.