71માં ગણતંત્ર દિવસના અવસરે દેશના અલગ-અલગ ભાગોમાં ધ્વજારોહણ થઇ રહ્યું છે. આ અવસરે મધ્યપ્રદેશ કોંગ્રેસના ઇન્દોર સ્થિત પાર્ટી કાર્યાલય પર પણ તિરંગો ફરકાવામાં આવ્યો. જોકે, ધ્વજારોહણ દરમિયાન પાર્ટીના નેતાઓમાં જ મારપીટ થઇ ગઇ.
71માં ગણતંત્ર દિવસના અવસરે દેશના અલગ-અલગ ભાગોમાં ધ્વજારોહણ
મધ્યપ્રદેશ કોંગ્રેસના ઇન્દોર સ્થિત પાર્ટી કાર્યાલય પર પણ તિરંગો ફરકાવામાં આવ્યો
વિવાદ વધતો જોઇને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો
વિવાદ વધતો જોઇને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો. જે બાદ કોઇ પ્રકારે બંનેને શાંત કરાવી શકાયા.
નોંધનીય છે કે, કોંગ્રેસના ઇન્દોર સ્થિત ઓફિસમાં મુખ્યમંત્રી કમલનાથે ધ્વજારોહણ કરવાનું હતું. કોઇ વાતને લઇને ધ્વજારોહણ દરમિયાન જ પાર્ટીના બે નેતાઓ દેવેન્દ્ર સિંહ યાદવ અને ચંદૂ કુંજીરની વચ્ચે હાથાપાઇ થઇ ગઇ. પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે બચાવ કરવો પડ્યો.
કમલનાથ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ છે. તેઓએ ગાંધી ભવન સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં તિરંગા ફરકાવ્યા બાદ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે 71માં ગણતંત્ર દિવસના અવસરે કહ્યું કે, દેશની સંસ્કૃત્તિ અને બંધારણની વિરુદ્ધ જવાની કોશિશ કરવા વાળા લોકોનો જબરદસ્ત મુકાબલો કરવામાં આવશે.
#WATCH Madhya Pradesh: Two Congress leaders, Devendra Singh Yadav and Chandu Kunjir, entered into a brawl during the flag hoisting ceremony during #RepublicDay celebrations at the party office in Indore. They were later calmed down with the help of police intervention. pic.twitter.com/Q9NcEJ3Sw5