સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સનગ્રેસ સ્કૂલના ધોરણ 9નાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા ભારે ફફડાટ ફેલાયો છે. શાળાને એક સપ્તાહ બંધ કરવા અપાયો આદેશ.
બે બાળકો કોરોના સંક્રમિત
શાળા બંધ કરવા આદેશ
વાલીગણમાં પ્રસરી ચિંતા
રાજ્ય સરકારે,છેલ્લા એકાદ સપ્તાહથી ધોરણ 6 થી 8 નાં વર્ગો શરુ કરવા માટે મંજૂરી આપી દીધી છે.તો ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ગયા છે. આ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સનગ્રેસ સ્કૂલના ધોરણ 9નાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા ભારે ફફડાટ ફેલાયો છે. બંને સંક્રમિત વિધાર્થીઓને ક્વોરન્ટાઇન કર્યા છે.સનગ્રેસ સ્કૂલનું વહીવટી તંત્ર બેબાકળુ બની ગયું છે.અને વિધાર્થીઓના વાલીઓમાં મોટો ગભરાટ ફેલાયો છે.સુરત મહાનગર પાલિકાને બે વિધાર્થીઓ સંક્રમિત થયાના સમાચાર મળતા જ શાળાને એક સપ્તાહ બંધ કરી દેવાના આદેશ આપી દીધા છે
શું કહ્યું હતું ડો. ત્રેહાને ?
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, બાળકો માટેની રસી સપ્ટેમ્બર અંત કે ઓક્ટોબર સુધીમાં આવી જશે. આ વચ્ચે દેશના અગ્રણી તબીબ ડો. નરેશ ત્રેહાને ગત સપ્તાહે જ ચીમકી આપી હતી કે, શાળાઓ ખોલવાની શી ઉતાવળ છે ? તમામ બાળકોનું રસીકરણ થઇ ગયા પછી શાળાઓ ખુલે તો તેમાં વાંધો શો છે? ડો.ત્રેહાને કહ્યું હતું કે,ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે બાળકોના રસીકરણ બાદ શાળાઓ ખુલે તે હિતાવહ છે.
કેમ આપી ચીમકી ?
ડો.ત્રેહાને,આ ચીમકી એવા રાજ્યો માટે ઉચ્ચારી હતી, જે રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે . સૂરતમાં બે બાળકો સંક્રમિત થયાની ઘટના એ ગુજરાતભરના વાલીઓની ચિંતામાં વધારો કરી દીધો છે.જો કે, ઓફલાઈન શિક્ષણ પણ ચાલુ છે જ. અને બાળકોને પણ,વાલીઓના સંમતી પત્રક બાદ જ શાળામાં પ્રવેશ અપાય છે.આમ છતાં, જે વાલીઓ બાળકોને શાળાએ મોકલવા ઉત્સુક છે તેઓએ,તકેદારી રાખવી જરૂરી બને છે.