અમદાવાદના બાવળા-સાણંદ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થતા 2 બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાનીજાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને તપાસ હાથધરી છે.