બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 AM, 12 July 2024
Nepal Landslide : નેપાળથી વહેલી સવારે એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ નેપાળમાં આજે સવારે ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં તણાઇ ગઈ હતી. મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 3.30 વાગે થયો હતો. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવે કહ્યું કે, અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સતત વરસાદના કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.
ADVERTISEMENT
आज सुबह मध्य नेपाल में मदन-आश्रित राजमार्ग पर भूस्खलन के कारण लगभग 63 यात्रियों को ले जा रही दो बसें त्रिशूली नदी में बह गईं।
— ANI_HindiNews (@AHindinews) July 12, 2024
(सोर्स: सड़क प्रभाग कार्यालय, भरतपुर, नेपाल) pic.twitter.com/TxPjt4Ma0b
નેપાળના ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ સવારે લગભગ 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું કે, કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા.
ADVERTISEMENT
Nepal Prime Minister Pushpa Kamal Dahal tweets, "I am deeply saddened by the reports of about five dozen passengers that are missing when bus was washed away by a landslide on the Narayangadh-Muglin road section and the loss of properties due to floods and landslides in different… pic.twitter.com/cK5S7BF3fs
— ANI (@ANI) July 12, 2024
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
આ તરફ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વીટ કર્યું હતું કે, નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલન અને પૂરને કારણે સંપત્તિને નુકસાન થવાને કારણે બસ તણાઇ જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરોના ગુમ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. મેં દેશના જુદા જુદા ભાગોમાં ગૃહ-વહીવટ સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપ્યો છે.
A landslide swept two buses carrying an estimated 63 passengers, on Madan-Ashrit Highway in Central Nepal into the Trishuli River, this morning.
— ANI (@ANI) July 12, 2024
“As per the preliminary information both the buses were carrying a total of 63 people including the bus drivers. The landslide swept…
ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું કે, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ તરફ જઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે થયેલા કાટમાળને કારણે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રોડ ડિવિઝન ભરતપુરના જણાવ્યા અનુસાર રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગશે.
વધુ વાંચો : નિમંત્રણ આપવા મુકેશ અંબાણી ગયા, તો પણ અનંતના લગ્નમાં ગાંધી પરિવાર નહીં આપે હાજરી
બસ પર પથ્થર પડતાં એકનું મોત
આ તરફ એક અલગ અકસ્માતમાં તે જ રોડ પર બીજી પેસેન્જર બસ પર પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બુટવાલથી કાઠમંડુ જઈ રહેલા બસ ડ્રાઈવર મેઘનાથ બીકે ભૂસ્ખલનને કારણે તેમના વાહન પર પથ્થર પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક ભેશરાજ રિજાલે જણાવ્યું હતું કે, તેનું ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT