કોરોના વાયરસ મહામારીને કારણે ગુરુવારે બીએસએફ (BSF)ના બે જવાનોનું મોત થઇ ગયું. જ્યારે આજે કુલ 41 નવા કેસ પણ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 191 બીએસએફ જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. ડાયરેક્ટર જનરલે આ જવાનોના મૃત્યુ પર દુ:ખ પ્રગટ કર્યું છે.
અત્યાર સુધીમાં કુલ 191 બીએસએફ જવાન કોરોના પોઝિટિવ આવ્યા
ડાયરેક્ટર જનરલે આ જવાનોના મૃત્યુ પર દુ:ખ પ્રગટ કર્યું
મોટાભાગના જવાન પોલીસ સાથે કાયદાકીય વ્યવસ્થાની ડ્યૂટી પર હતા. મોટાભાગના જવાન અસિમ્પ્ટોમેટિક હતા, એટલે કે તેમના માં કોરોના વાયરસના કોઇ લક્ષણ નહોતા. જે પણ આ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમને ક્વૉરન્ટીન કરી દેવાયા છે. બીએસએફ દ્વારા કોરોના વાયરસને લઇને તમામ દિશાનિર્દેશોનું પાલન કરાઇ રહ્યું છે.
દેશના અલગ-અલગ રાજ્યોમાં બીએસએફના જવાનોમાં કોરોનાના સંક્રમણ જોવા મળ્યા બાદ તેઓેને હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. બુધવારે રાજસ્થાનના જોધપુરથી બીએસએફના 30 જવાનો કોરોના વાયરસ પોઝિટિવ આવવાના સમાચાર આવ્યા હતા. આ જવાન દિલ્હીમાં તહેનાત હતા અને તેઓને જોધપુર સ્થિત ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
જ્યારે કોરોના વાયરસથી મુક્ત થયા બાદ બુધવારે રાત્રે રાજ્યમાં કોરોના વાયરસના એક સાથે સૌથી વધારે કેસ સામે આવ્યા. જ્યારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તહેનાત બીએસએફના 22 જવાન કોરોના પોઝિટિવ જોવા મળ્યા. આ જાણકારી મળ્યા બાદ રાજ્યમાં હડકંપ મચી ગયો.
અંબસ્સા સ્થિત બીએસએફની 138 મી બટાલિયનના આ જવાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધીમાં આર્મીના 62 જવાન આ વાયરસથી પોઝિટિવ થઇ ચૂક્યા છે. ત્રિપુરાનો ધલાઇ જિલ્લા ગત સપ્તાહ સુધી ગ્રીન ઝોનમાં હતો. જવાનોના કોરોના પોઝિટિવ મળ્યા બાદ તેને રેડ ઝોનમાં બદલી દેવાયો છે.
બીએસએફના 22 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ત્રિપુરા પૂર્વોત્તરમાં સૌથી વધારે કોરોના વાયરસના સૌથી વધારે કેસ વાળુ રાજ્ય બની ગયું છે. આટલી મોટી સંખ્યામાં જવાનોમાં કોરોનાનું સંક્રમણ મળવા પર રાજ્ય સરકારે બીએસએફને તેની તપાસ કરવા કહ્યું છે.