પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાની શ્યાહી હજું સુકાઈ નથી ત્યાં બિહારની રાજધાનીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના 2 ભાઈઓની ગોળી મારીને ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી વિગત પ્રમાણે, બિહારના પૂર્વ ધારાસભ્ય ચિતરંજન શર્માના સગા ભાઈ શંભુ શર્મા અને ગૌતમ શર્માની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા રાજ્યના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે, જો કે, આ હત્યારાઓ કોણ હતા તે અંગે હજુ સુધી કોઈ વિગતવાર જાણકારી મળી શકી નથી.
बीजेपी के पूर्व विधायक के चितरंजन शर्मा के दो भाइयों की गोली मारकर हत्या।#Bihar
આ ઘટના શહેરના પત્રકાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. તેમાંથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અને બીજો વેબ પોર્ટલ માટે પત્રકાર તરીકે કામ કરતા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
જુની દુશ્મનાવટ જવાબદાર
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં પણ ચિત્તરંજન શર્માના પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આજે ફરીથી બે ભાઈઓની હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ જૂની દુશ્મનાવટ જણાવવામાં આવી રહી છે, સમગ્ર ઘટના મામલે નીમા ગામના પાંડવ સેનાના પ્રમુખ સંજય સિંહ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ચિત્તરંજન શર્મા અને સંજય સિંહ વચ્ચે જૂની દુશ્મનાવટ ચાલી રહી છે.